________________
બ્રાંતિદર્શન મારું ચિત્ત ઘેરાયેલું છે, પરંતુ વાસના શું છે, તે કેવી રીતે ઉત્પન્ન થાય છે અને કેવી રીતે તેના બંધનને નષ્ટ કરી શકાય તે માટેનું કર્મ-રહસ્યનું જ્ઞાન ન હોવાને કારણે તે સમજ વગર અન્ય સાધકની નકલ કરીને કઠોર તપશ્ચર્યા કરવા લાગે છે. પરંતુ તે સર્વ અજ્ઞાનજનિત હેવાને કારણે તેને તે પુરુષાર્થ વ્યર્થ જેવો થઈ જાય છે.
૭. સમવસરણની સાતમી ભૂમિકાનું નામ પર્ષદા છે. તેના સ્થાને અહીં અહંકારભૂમિ છે. તેનું સ્વરૂપ અગાઉ દર્શાવવામાં આવ્યું છે. હું ઈદંના રૂપમાં બે પ્રકારે વિભક્ત જ્ઞાનના સર્વવ્યાપક પારમાર્થિક સ્વરૂપનું શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, તથા ચિત્તની ભૂમિકાઓ પર બદ્ધ થઈ, સંકીર્ણ થઈ જાય તે એનું લક્ષણ છે. એ મુદ્ર વ્યક્તિત્વને પૂર્ણ માનીને સમગ્ર ત્યાગ કરી દે, અથવા સમગ્રમાં પ્રતિબંધ લગાવી ને જાણવાની વિધિને પિતાની અપનાવવી તે આ ભૂમિકામાં બધા છે. હદયની આઠમી ભૂમિમાં પ્રવેશ કર્યા વગર આ ભૂમિને અતિક્રમવી સરળ કે શક્ય નથી.
૮. આઠમી ભૂમિનું નામ હૃદયભૂમિ છે. તે ભગવાનના સમવસરણના શ્રીમંડપના સ્થાને છે. જેમાં કમલાસન પર ચેતન મહાપ્રભુ વિરાજમાન છે. પ્રેમ, વિનય, ભક્તિ, મૈત્રી, પ્રમાદ, કારુણ્ય, માધ્ય, સંવેગ, વૈરાગ્ય આદિ રૂપમાં ભાવલેક તેનું સ્વરૂપ છે, જે મંદગતિથી વિકાસને પ્રાપ્ત કરીને પ્રેમથી મૈત્રી, મૈત્રીથી ભક્તિ, ભક્તિથી સમતા એમ ઉત્તરેઉત્તર ઉન્નત ભૂમિમાં પ્રવેશ કરીને સમગ્રતાને હસ્તગત કરવામાં સમર્થ નીવડે છે. અહીં અહંનું શુદ્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org