________________
૪૪
કર્મ રહસ્ય આઠ ભૂમિઓ આ પ્રમાણે છે: ઇંદ્રિયભૂમિ, પ્રાણભૂમિ, મને ભૂમિ, બુદ્ધિભૂમિ, ચિત્તભૂમિ, વાસનાભૂમિ, અહંકારભૂમિ અને હૃદયભૂમિ. ૨. આઠ ભૂમિએ
૧. અહંત ભગવાનની સમવસરણની પ્રથમ ભૂમિનું નામ ચૈત્યપ્રાસાદભૂમિ છે. તેને સ્થાને અહીં ઈદ્રિયભૂમિ છે. તેની અંદર બે વિભાગ છે. જ્ઞાન તથા કર્મ વિભાગ. જ્ઞાન વિભાગનું કામ જાણવું અને કર્મ વિભાગનું કાર્ય ભાગવું, દોડવું કે કંઈ ઊથલપાથલ કરવી. જ્ઞાન વિભાગની અંતર્ગત બે સાધન છેએક અંત:કરણ અને બીજુ બાહ્ય કરણ. મન, બુદ્ધિ વગેરે અંતઃકરણનાં નામોને ઉલ્લેખ ચિત્તના અધિકારમાં કરવામાં આવ્યું છે. અહીં બહિઃકરણની પ્રધાનતા છે. તેમાં પાંચ ઇંદ્રિને સમાવેશ છે. સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને ક્ષેત્ર – શ્રવણ. કર્મના સાધનમાં પાંચ ઇન્દ્રિય છે. હાથ, પગ, વાણું, જિહુવા, ગુદા તથા ઉપસ્થ (જનનેન્દ્રિય). આ બંને પ્રકારની ઇદ્રિના વિષયપિષણમાં સંલગ્ન સકળ સંસારી છે આ ભૂમિમાં અટકી જાય છે.
આત્મકલ્યાણની ભાવનાવાળે મુમુક્ષુ સાધનાના ક્ષેત્રમાં પ્રવેશ કરે છે તે પણ પૂર્ણ સંસ્કારવશ આ ભૂમિમાં અટકે છે. આંખેથી ભગવાનની પ્રતિમાનાં દર્શન કરીને, કાન દ્વારા શાસ્ત્રાદિનું શ્રવણ કરીને, હાથ દ્વારા ભગવાનની પ્રતિમાનું પૂજન કરીને, વાણી કે જિવા દ્વારા શાસ્ત્રોને અભ્યાસ કરીને અને પગ દ્વારા તીર્થાટન કરીને સંતુષ્ટ થઈ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org