________________
અહંકારદર્શન વિભુત્વ છે. તે પ્રાપ્ત થવાથી તું સ્વયં મહાન થયે. તારા અહીને વિસ્તાર થયે જાણ.
તારી સંકીર્ણતાને કારણે તે આ સમગ્રમાં પરસ્પર વિભક્ત એવાં અનેક કેન્દ્રો સ્થાપિત ર્યા હતાં, તે સર્વ પરસ્પરમાં ભળીને એક થઈ ગયાં. જે પ્રકારે પોતાના કાર્યમાં લીન એવા નાનામોટા અનેક વિભાગ સહિત કારખાનું એક અખંડ એકમ મનાય છે, વળી ઊઠતા અને શમતા અનેક તરંગો સહિત આ મહાસાગર એક અખંડ એકમ છે, તે પ્રકારે પરસ્પરમાં ભળીને અલગ થનારા અને અલગ થયેલા પરસ્પર ભળનારા આ જડચેતન પદાર્થો સહિત આ સમગ્ર વિશ્વ તારા માટે એક અખંડ એકમ છે, જેણે સર્વને પિતાની અંદર સમાવી લીધા છે. આ સમગ્ર સિવાય વિશ્વમાં બાકી શું છે કે જેની તને કામના જાગે? કેવળ એક જ છે અને તેને તે પ્રાપ્ત છે, તેને કારણે તારું જ્ઞાન “કેવળ છે અને એ જ્ઞાનને સ્વામી “કેવળી છે. તે તારા જ્ઞાનને સ્વભાવ અથવા પરમાર્થ સ્વરૂપ છે. સ્વામિત્વ, કર્તૃત્વ તથા ભેતૃત્વવિષયક સકલ કામનાઓને ત્યાગ કરીને તે અખિલ લેકાલકને જાણ્યું તેથી તે સર્વગત છે, સર્વજ્ઞ છે. હવે તું અહંકાર નથી, “અહં છે, પૂર્ણ “અહં છે અને તારું “ઇદ” હવે ઈદ નથી પણ વિશ્વ છે, પૂર્ણ ઈદે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org