________________
૩૮
કર્મ રહસ્ય જાણવા પ્રત્યે, પૂર્ણ કરવા પ્રત્યે અને પૂર્ણપણે ભેગવવા પ્રત્યે કરેલે પુરુષાર્થ પરમાર્થ – સત્ય પુરુષાર્થ છે. આ પુરુષાર્થ યુક્ત “અહં” અહંકાર શબ્દને સંકેત છે. અર્થાત્ પિતાની પૂર્ણતાની પ્રાપ્તિને માટે સંઘર્ષરત અહં અહંકાર છે અને પૂર્ણ અહં “આત્મા’ – જ્ઞાન છે.
અહંકારની કામના, પ્રયત્ન તથા પુરુષાર્થ પરમાર્થરૂપે પિતાને પૂર્ણ કરવા માટે છે, પિતાની સંકીર્ણતા દૂર કરવા માટે છે. છતાં પણ તે પ્રજનની સિદ્ધિ માટે જે સાધનને આશ્રય તેણે લીધો છે તે મહાઆકાશના એક છિદ્ર જેવો અત્યંત ક્ષુદ્ર છે. આથી જ પૂર્ણ હોવા છતાં પણ અહંકાર મુદ્ર થઈ ગયો છે. તેની કામના સમગ્રતા પ્રત્યે નથી, પણ તેમાંથી એક અલ્પાંશ પ્રત્યે અર્થાત્ દેહાધ્યસ્ત પિતાના સુદ્ર વ્યક્તિત્વ પ્રત્યે છે. અથવા કોઈ એક જડ કે ચેતન પદાર્થ પ્રત્યે કેન્દ્રિત થઈ ગઈ છે. જાણવું, કરવું, ભેગવવું એ સર્વ પુરુષાર્થ અથવા પ્રયત્ન પણ સમગ્ર પ્રતિ ન હોવાથી તે શુદ્ધ પ્રત્યે કેન્દ્રિત થઈ ગયું છે. સમગ્રને ત્યાગ કરીને તેના અંગભૂત કઈ એક વસ્તુ પ્રત્યે કેન્દ્રિત થઈ જવાને કારણે તે સ્વયં, તેની કામના તથા પુરુષાર્થ સર્વે સંકીર્ણ થઈ જાય છે.
“ખાલી ચણો વાગે ઘણ”, “અધૂરો ઘડે છલકે ઘણે” તે ન્યાયે ચિત્ત ચંચળ છે. એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર તે ઘૂમ્યા કરે છે. તે એક એકને પકડીને પોતાને પૂર્ણ થવા માગે છે. પરંતુ તે જેમ જેમ આગળ વધે છે તેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org