________________
-
,
રામમાં દર્શન
૩૧ સુંદર ઉપવન કે સ્મશાન દેખાય છે, તે પ્રમાણે વિશ્વના પદાર્થોને ભિન્ન ભિન્નપણે ગ્રહણ કરવાથી સર્જન-વિસર્જન, જન્મ-મૃત્યુ, ઈષ્ટ અનિષ્ટ આદિ જણાય છે. પરંતુ હવાઈ જહાજમાં બેસીને અમુક ઊંચાઈએથી જોતાં એ નજરમાં સર્જન-વિસર્જન, જન્મ-મરણ, ઉપવન રમશાન જણાતાં નથી પરંતુ કેવળ એક અખંડ નગર દેખાય છે. તે સર્વ દ્રઢ તેનું સૌદર્ય છે. તે પ્રમાણે સમગ્ર દષ્ટિ દ્વારા આ વિશ્વને જેવાથી સર્જન-વિસર્જન, જન્મ-મરણ આદિ જણાતાં નથી કેવળ એક અખંડ વિશ્વ દેખાય છે. અને આ સકલ કંઠ તેનું સૌદર્ય છે તે સમજાય છે. •
જે પ્રકારે કોઈ વનના પદાર્થોને એક એક કરીને જેવાથી કઈ પદાર્થો લીલા, કોઈ સૂકા, કોઈ ભરેલું વૃક્ષ કે કેઈ કેવળ હૂં, કોઈ જગાએ સુવાસિત પુપ અને કઈ જગાએ દુધિત ગોબર–વિષ્ટ દેખાય છે, તે પ્રકારે વિશ્વમાં કોઈ જગાએ મનુષ્ય, કઈ જગાએ પશુ, કઈ જગાએ બ્રાહ્મણ કે શુદ્ર, કોઈ જગાએ સ્ત્રી કે પુરુષ, ઈષ્ટ કે અનિષ્ટ પદાર્થો નજરે પડે છે. સમગ્ર વનને યુગપ (એકસાથે) જેવાથી આ સર્વ વિષમતાઓ સહિત તે વન કેવળ વન જ છે, તે પ્રકારે સમગ્ર વિશ્વને યુગપત જેવાથી તે વિશ્વ કેવળ વિશ્વ છે તે સિવાય કંઈ નથી. આ
જેમ કોઈ કારખાનામાં અનેક પ્રકારનાં મશીને છે, તે દરેક મશીનમાં અનેક સામગ્રી છે. દરેક પરસ્પર સહગથી કાર્ય કરે છે. તે પ્રકારે વિશ્વમાં અનેક જડ-ચેતન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org