________________
૩૦
કમરહસ્ય કોઈ મનુષાકાર, કોઈ પશુ આકાર, કઈ મહત્ત્વશાળી, કેઈ સુદ્ર; એ સવે પરસ્પર અથડાય છે, વણસે છે,. ગરજે છે, અને નષ્ટ થઈ જાય છે. - સાગરના તરંગોને એમ લાગે છે કે તે એકબીજાથી સાવ વિભક્ત છે. તેમ મનુષ્યાદિ આકૃતિઓને જોઇને લાગે છે કે તે અન્ય વિભક્ત છે. પરંતુ જે પ્રમાણે સાગરને એક પૂર્ણ અને અખંડ રૂપમાં જતાં તે સર્વ તરંગો એક સાગર જ છે તેવો અનુભવ થાય છે અને તે તરંગોની સર્વ પ્રક્રિયા તેનું સૌદર્ય છે તેમ જણાય છે, તે પ્રમાણે વિશ્વને પૂર્ણ તથા એક અખંડ મહાસત્તાના રૂપમાં જોવાથી તે સર્વ પદાર્થો એક વિશ્વરૂપ જણાય છે. અને તેમાં થતા સંગ-વિયેગ તેનું સૌદર્ય છે તેમ લાગે છે. તે સૌંદર્યને અભાવ થઈ જાય તે વિશ્વનું ચિત્ર કેવળ કૂટસ્થ બની જાય છે. તે પછી મારું અને તમારું અસ્તિત્વ પણ ક્યાંથી હોય? જગત અને તેના વ્યવહાર પણ સંભવ ન હેય. જે પ્રકારે જીવંત અને ચણાશીલ હોવાથી શરીરની સુંદરતા પ્રતીત થાય છે તેમ વિશ્વ ચેષ્ટાશીલ હોવાથી તેની સુંદરતા પ્રતીત થાય છે. જે કેવળ ફૂટસ્થ – અપરિ. પણમનરૂપ હોય તે તેમ બને નહિ.
જેમ કેઈ એક નગરની શેરીઓમાં ફરવાથી કઈ જગાએ સર્જન અને કઈ જગાએ વિસર્જન, કઈ સ્થળે જન્મ, કઈ સ્થળે મૃત્યુ, ક્યાંક હર્ષ કે શેક, કોઈ સ્થળે સુંદરતા કે અસુંદરતા, ક્યાંક મહેલ કે ઝૂંપડી, કોઈ સ્થાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org