________________
મહામાયા
ਵਡshlesh stes-estase: sisਦstਰ ਮ ਰਦsstpsਇy sh#sਇਰਭੈ ૧. જ્ઞાનના વિવિધ ભેદ (વિભક્તીકરણ)
આપણું ચિત્ત મહામાયાવી છે. જે વસ્તુ નથી તેને કલ્પના દ્વારા ઉપજાવીને જગતને દર્શાવી દેવું તે માયા છે. ચિત્ત પિતાની અંદર જ કાલ્પનિક જગતને ઊભું કરે છે તેથી તે માયાવી છે. અગાઉ બતાવવામાં આવ્યું છે કે જ્ઞાન સ્વયં અહંતા તથા ઈદંતાના રૂપમાં અથવા જ્ઞાતા તથા 3યના રૂપમાં દ્વિધા (બે પ્રકારે) અલગ થઈ જવાને સમર્થ છે. તેના સામર્થ્યને વિશેષ અભ્યાસ જરૂરી છે.
અહમિદં જાનામિ (હું આને જાણું છું) આ અકારક પ્રતીતિ (અહની) જ્ઞાનનું સામાન્ય લક્ષણ છે. જ્ઞાનના આ સામાન્ય લક્ષણમાં “અ ઘટે જાનામિ (હું ઘટને જાણું છું.) ઇત્યાદિ રીતે જે પ્રકારે સમસ્ત બાહ્ય પદાર્થોનું ગ્રહણ (3ય – જાણકારી) સમાવિષ્ટ છે, તે પ્રકારે “અહં શાસ્ત્રાર્થ જાનામિ' (હું શાસ્ત્રના વાચાર્યને – વાક્યના અર્થને જાણું છું.) આ પ્રમાણે સમસ્ત શબ્દોને વાચ્ય-વાચક સંબંધ તેમાં ગર્ભિત રહેલે છે. તે ઉપરાંત “અહમાત્મન જાનામિ' (હું આત્માને જાણું છું) આ પ્રમાણે સર્વ આધ્યાત્મિક વિષયેનું ગ્રહણ પણ સમજી લેવું આવશ્યક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org