________________
ચિત્તદર્શન પ્રશ્નમાં આવી જાય છે. તે ચિત્તમાંથી ઉત્પન્ન થતા હેવાથી તેનું ઉપદાન અને નિમિત્ત કારણ વાસ્તવમાં ચિત્ત જ છે.
વળી પ્રશ્ન થાય છે કે પદાર્થની અનુપસ્થિતિમાં જ્ઞાનમાં ય ક્યાંથી આવે છે? એના ઉત્તરને વિસ્તાર પછીના પ્રકરણમાં કરવામાં આવશે. અહીં એટલું સમજી લેવું કે જ્ઞાનમાં એવું સામર્થ્ય છે કે આવશ્યકતા પ્રમાણે તે સ્વયં પિતાને અહંતા કે ઈદંતાના રૂપમાં બંને પ્રકારે વિભક્ત કરી લે છે. જ્ઞાન એક હોવા છતાં તે વિષય સ્વયં બને છે અને વિષયી પણ બને છે. જ્ઞાતા બને છે અને રેય પણ પિતે જ બને છે, તે પ્રમાણે ધ્યાતા અને ધ્યેય, વિચારક અને વિચાર, ચિંતક અને ચિંત્ય, મન્તા અને મંતવ્ય પિતે જ બને છે.
જ્ઞાનગત આ દ્વતમાં અહંતા તથા વિષયી આદિને આપણે ચિત્ત કહીશું અને વિષય તથા ચિત્ય આદિને આપણે ઈદંતાના રૂપમાં સ્વીકારી. અત્યંતર જગતમાં આ બંને જ્ઞાન સિવાય કંઈ નથી. તેથી એ પ્રશ્ન જ સંભવ નથી કે “ચિત્ત વિકને માટે વિષયે ક્યાંથી પ્રાપ્ત કરે છે. તે જ્યાં સ્થાન ધરાવે છે ત્યાં વિષય પણ છે જ. વિષય અને વિષયી સાપેક્ષ છે. ચિત્ત જ્ઞાનનું એક વિશેષ રૂપ છે, જે પિતાના વિષયને જ્ઞાનના કેષમાંથી કાઢે છે, અને વળી ત્યાં જ સ્થાપિત કરે છે.
જ્ઞાનને આ કોપ અક્ષય છે, તેમાંથી અનંત વિષય નીકળવા છતાં ક્યારેય સમાપ્ત થતા નથી. મને વૈજ્ઞાનિક તેને ‘ઉપચેતના કહે છે. વિકલ્પરૂપ ઉદ્ભવતું અને લય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org