________________
ચિત્તદર્શન તમને તે સર્વ રહસ્ય સમજાવવા માગું છું. તમે તે ધ્યાનપૂર્વક સાંભળજે. મારા શબ્દને નહિ પણ તેના સંકેતને સમજવા પ્રયત્ન કરે જે. શબ્દના આશ્રય વગર સમજવાને કે સમજાવવાને વ્યવહાર શક્ય નથી. માટે તે શબ્દો જે પદાર્થોને સૂચવે તેને સમજવા કે સમજાવવા ઈષ્ટ છે. શબ્દોને પકડવા નહિ. આ શબ્દ કયા શાસ્ત્રના છે, તેની વ્યુત્પત્તિ શી છે વગેરે વિકલ્પ ન કરવા. મારી ભાષા શાસ્ત્રીય નથી પણ લેકગ્ય છે. અહીં શાસ્ત્રપ્રમાણની પણ કોઈ આવશ્યકતા નથી. કારણ કે અહીં જે વાત બતાવવામાં આવશે તે આબાલવૃદ્ધ સર્વને નિત્ય અનુભવમાં આવે તેવી છે. જે કંઈ કહું તેને પિતાના અનુભવથી પ્રમાણુ કરજે. કેઈને પૂછશે નહિ. છતાં પૂછવાની જરૂર પડે તે મને પૂછવું, કારણ કે મારા અભિપ્રાયને બીજી વ્યક્તિ કદાચ એવી વિશદતાથી સમજાવી નહિ શકે, અને સંભવ છે કે ભ્રાંતિવશ અર્થનો અનર્થ થઈ જાય. મારા આ કથનનું રહસ્ય તમારી અંદર સ્થિત છે. થોડી ક્ષણે માટે ઈન્દ્રિયોને આશ્રય છેડીને તમારી અંદર ડૂબકી મારે. ત્યાં તમને સર્વ કંઈ પ્રત્યક્ષપણે જણાશે. ૨. ચિત્તને વાગ્યાથ – ચિત્ત શબ્દને અર્થ :
ચિત્ત’ શબ્દને અર્થ આ શરીરની અંદર સ્થિત કઈ એક અંગવિશેષ નથી. વિકલપયુક્ત જ્ઞાનનું નામ ચિત્ત છે. તમારી સમક્ષ વિદ્યમાન કોઈ પણ પદાર્થને જાણવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org