________________
અભ્યતર જગત
૧૫
સ્પર્શે અથવા પૂર્તિ તેને માટે કોઈ પ્રકારે તત્કાળ સંભવ ન હાવાથી તે સર્વ મનુષ્યલેાકથી બહાર સ્થિત તિલાક છે. અસંખ્યાત વિકલ્પનિર્મિત આ મધ્યલેાકને મનુષ્યલેાક તથા તિય લેાક એમ એ ભાગમાં વિભક્ત કરવાવાળી આ અસંભાવના મનુષ્યની ગતિને અવરોધ કરવાવાળી અવિધ યા માનુષાત્તર પર્વત છે.
આ પ્રકારે અધેાલેાક અને ઊર્ધ્વલેાક પણ ચિત્તગત આ વિકલ્પલાકમાં જોઇ શકાય છે. પરંતુ તે વાણીવિલાસ હાવાથી એનુ` કથન કરવું અત્રે ઇષ્ટ નથી. તમારી અંદર વૈકલ્પિક જગત વસેલું છે, જેના કોઈ કિનારા નથી. કેણુ જાણે એવાં કેટલાંયે જગત પ્રતિક્ષણ ચિત્તરૂપી સાગરમાં સર્જન કે વિસર્જન થતાં રહે છે. આ તમારું અભ્યતર જગત છે, જે તમારી તદ્ન નિકટ છે અને તેથી બહારની અપેક્ષાએ તે સત્ય છે. આટલું સમજવું અત્રે પર્યાપ્ત છે.
*
Jain Education International
*
For Private & Personal Use Only
www.jainelibrary.org