________________
કર્મ રહસ્ય વિકલ્પની કેવી એક કડીબદ્ધ શૃંખલા ઉત્પન્ન થઈ ગઈ. આ પ્રકારે પ્રથમ સ્કૂરણવાળે સંકલ્પ મધ્યમાં સ્થાપિત થયા પછી તેની પ્રદક્ષિણા કરવાવાળા ધારાવાહી વિકપને પિંડ એ ચિત્તનું સ્વરૂપ છે. તેથી તેને પહેલાં વર્તુળાકાર કહ્યો છે. તે ભાવાત્મક હોવાથી વાસ્તવમાં તેને કેઈ આકાર નથી પણ એક વિકલ્પની હારમાળા તે વર્તુળાકાર કહેવાય છે. ૫. મધ્યલોક
પરસ્પર જોડાયેલા અસંખ્યાત વર્તુળાકાર દ્વીપ-સમુદ્રોના પિંડના સ્થાનને શાસ્ત્રમાં મધ્યકનું સ્વરૂપ કહ્યું છે. તેના ઉદાહરણથી અહીં તરંગમાળાનું ઉદાહરણ આપીને વિકલ્પનું
સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. અસંખ્યાત વિકલ્પના એકત્ર પિંડરૂપ આ ચિત્ત આ શરીરમાં રહેલા અત્યંતર શરીરની નાભિ છે. અને તે જ અત્યંતર જગતનું મધ્યક છે. વિકલ્પની મધ્યમાં અચલ રૂપમાં સ્થિત હોવાથી સંકલ્પ નામની પ્રથમ કુરણ સુમેરુ પર્વત છે અને તેની પ્રદક્ષિણા કરતા રહેવાને કારણે વિકલ્પ જ દ્વીપસમુદ્ર છે, જેની સંખ્યા અગણિત હોવાથી અસંખ્યાત છે. પ્રત્યેક અવાંતર વિકલ૫નું વિષય ક્ષેત્ર પિતાનાથી પૂર્વવતી વિકલ્પની અપેક્ષાએ દ્વિગુણ-દ્વિગુણ વિસ્તારયુક્ત છે. તે વાત વ્યક્તિને માટે અનુભવસિદ્ધ છે.
પ્રથમ બેત્રણ વિકલ્પોની પૂતિ તેને માટે તત્કાળ સંભવ છે, એથી વિશેષ નહિ. તેથી અઢી દ્વીપપ્રમાણ એને મનુષ્યલેક છે. બાહ્યવતી અન્ય સકળ વિકલ્પના વિષયને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org