________________
૧૨
કર્મ રહસ્ય ચતુરાઈ, તેની કલા અને માયા વિદ્યા છે. સત્યને અસત્ય અને અસત્યને સત્ય મનાવી તે સર્વને ઠગે છે, પણ કેઈ તેને ઠગી શકતું નથી. જેમણે તેને પડકાર કર્યો તેમને ધન્ય છે. ગુરુદેવના શરણમાં તેને જોવા-જાણવાની અંતર્દષ્ટિ પ્રાપ્ત થાય છે. ૪. વીચિમાલા –- તરંગમાળા
ચિત્તનું સ્વરૂપ અને તેની કાર્યવિધિનું તમને દિગદર્શન કરાવું છું. જે પ્રકારે કઈ શાંત સરોવરમાં કાંકરે ફેકવાથી તેમાં વર્તુળાકાર તરંગો ઉત્પન્ન થાય છે તે પ્રકારે કઈ પણ વિષયને પ્રાપ્ત કરીને ચિત્તમાં વર્તુળાકાર તરંગો ઉત્પન્ન થાય છે. જે પ્રકારે સરોવરની તરંગમાળાના અનેક તરંગો મલેકવતી અસંખ્ય દ્વીપસમુદ્રોની જેમ એકબીજાને ઉલંઘને વિસ્તારને પ્રાપ્ત કરતા જાય છે તેમ ચિત્તગત એ વિકલ્પ-તરંગમાળાના અનેક વિકલ્પ એકબીજાની પરિક્રમા કરીને વિસ્તારને પ્રાપ્ત કરે છે. તેને વિસ્તાર ઉત્તરોત્તર દ્વિગુણદ્વિગુણ થતું રહે છે. જેમ સરેવરના તરંગોનું કેન્દ્રબિંદુ તે સ્થળ છે કે જ્યાં કાંકરે નાખવામાં આવ્યું હતું, તેમ ચિત્તગત સકળ વિકલ તે સંકલ્પ-બિંદુની પરિક્રમા કરે છે, જે વિષયને પ્રાપ્ત કરીને બીજી ક્ષણે ત્યાં ઊઠે છે.
તમે તમારા ઓરડામાં શાંતિથી બેઠા છે તે સમયે કઈ ભિક્ષાથીએ તમારું દ્વાર ખખડાવ્યું. તમે ઊઠીને તેને પચીસ પૈસા આપી દીધા, ભિક્ષુક ચાલી ગયે. પરંતુ તમારા ચિત્ત પર તે અંકાઈ ગયે. “આ લેકની સુધારણ થવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org