________________
કમરહસ્ય આપું છું કે તે પહેલાની અપેક્ષાએ અધિક સત્ય, અધિક સ્થાયી અને અધિક મૂલ્યવાન છે.
વાસ્તવમાં અત્યંતર જીવન બાહ્ય જીવનને પ્રાણ છે. મૃત્યુ થતાં ઇંદ્રિયગમ્ય બાહ્ય શરીર તે રહે છે, પરંતુ અભ્યતર જીવન તે ચાલી જાય છે, તેને જગતના લેક જાણે શક્તા ન હોવાથી વ્યક્તિને મરેલી જાણીને શિવા લાગે છે. વાસ્તવમાં વ્યક્તિનું મૃત્યુ થયું નથી પણ શરીરનું મૃત્યુ થયું છે. નિપ્રાણ હોવાનું નામ મૃત્યુ છે. “ચિત્ત'ના નામે ઓળખાય છે તે તારું અત્યંતર જીવન છે, તે તેને પ્રાણ છે.
વ્યક્તિનું વ્યક્તિત્વ ચિત્તમાં નિહિત છે, શરીરમાં નહિ. શરીરના સુંદર-સુંદર હોવાથી વ્યક્તિનું વ્યક્તિત્વ સુંદરઅસુંદર નથી હોતું. ચિત્તના સુંદર અસુંદર હેવાથી તે સુંદરઅસુંદર હોય છે તે લેકે ક્તિ જગપ્રસિદ્ધ છે. તેથી પણ ચિત્ત અધિક સત્ય છે, શરીર સત્ય નથી. તારી સકળ પરિસ્થિતિઓ પણ ચિત્તમાં નિવાસ કરે છે, શરીર અથવા તેને સાધનભૂત આ બાહ્ય જગતમાં નહિ. પુત્ર, મિત્ર, કલત્રાદિમાં, ઘર, સમાજ કે રાષ્ટ્રમાં તેને પ્રતિભાસ થાય છે, પરંતુ તે બ્રાંતિ છે. જ્યારે તું ચિત્ત નામના એ અત્યંતર લેકમાં પ્રવેશ કરીશ, તેના પ્રત્યેક ભાગનું તું અવલેકન કરીશ ત્યારે તેના રહસ્યને સમજી શકીશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org