________________
અંતર્દષ્ટિ પરિચયમાં આવ્યું નથી, કે તે તે જાણવા પ્રયત્ન કર્યો નથી. તારી પરિસ્થિતિ તેને ઉદરપૂર્તિના પરિશ્રમ સિવાય અન્ય અવકાશ જ ક્યાં આપે છે કે તું તેને માટે પ્રયત્ન કરી શકે? તેથી તને દાસ, લાચાર, દીનહીન કહું છું.
એક વાર તું કેવળ અત્યંતર જીવનમાં પ્રવેશ કર. તે પછી આ બાહ્ય જીવનનું તને કઈ મૂલ્ય નહિ રહે. કાચના ટુકડાઓમાંથી એક ચમકદાર ટુકડે લઈ તું હીરે મળી ગયે હોય એ સંતુષ્ટ થઈ ગયું છે. જે તને રત્ન હસ્તગત થાય તે તું તે કાચના ટુકડાને ફેકી દઈશ. પહેલાની અપેક્ષાએ બીજુ અધિક સત્ય છે. બાહ્ય જીવન કે જેને તું સત્ય સમજી બેઠો છે તે વાસ્તવમાં અસત્ય છે, ભ્રમ છે. ઇંદ્રિયોથી બાહ્ય જગત પ્રત્યક્ષ જણાય છે, તેથી તે સત્ય જણાય છે, પણ ઇદ્રિયમાં એનાથી વિશેષ જાણવાની શક્તિ જ નથી. સાગરને રત્નાકર કહ્યો છે. પરંતુ તેનું એ રત્નાકરત્વ તેમાં ક્યાં છુપાયેલું છે? ઇદ્રિ દ્વારા તેનું કેવળ “ઉદધિનું રૂપ સત્ય છે. રત્નાકરવાળું રૂપ દશ્યમાન નથી. તે પ્રકારે ઇન્દ્રિયજગતમાં કેવળ બાહ્ય જીવન જ સત્ય છે, અત્યંતર જીવન નહિ. જે પ્રકારે સાગરના તળિયે રતનાકારત્વ છુપાયેલું છે, ત્યાં જવાથી તેનું સત્ય જણાય છે, તે પ્રકારે બાહ્ય જીવનની અંદરના ભાગમાં અંતરંગ જીવન છે, ત્યાં ડૂબકી મારવાથી સત્ય જણાય છે. વળી જેમ રત્નાકર હસ્તગત થવાથા સાગર શુદ્ર તથા નિઃસાર જણાય છે, તે પ્રકારે અત્યંતર જીવન હસ્તગત થતાં બાહ્ય જીવન નિમૂલ્ય અને નિસાર જણાય છે. હે પ્રભુ! તું એક વાર તેમાં ડૂબકી માર. હું તને ખાતરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org