________________
કર્મ રહસ્ય તેનું સમાધાન સંભવે છે? પરિસ્થિતિની પ્રતીતિ થાય છે તે પણ તે પરિસ્થિતિ શું વસ્તુ છે તેના વિચારને અવકાશ નથી. તે પછી તેનું સંશોધન કેમ થાય? પરિસ્થિતિમાં જીવવા છતાં તેને ન જેવી કે ન જાણવી તે અંધાપ નથી તે બીજું શું છે? તે એક વાર ગુરુદેવના શરણમાં આવ. તેઓ જ્ઞાનાંજન દ્વારા તારું તૃતીય નેત્ર ખેલી આપશે. ત્યાર પછી તેનું સ્વરૂપ જાણવા-જવાનું તારાથી શક્ય બનશે. ત્યારે તું સ્વયં જ્ઞાતા, દ્રષ્ટા કે ઋષિ થઈશ. ત્યારે તું જઈ શકીશ કે આ ઇન્દ્રિયજગતની અપેક્ષાએ તારી અંદર અનંતગુણ જગત ભર્યું પડ્યું છે. ચેતનાના એ નાનાઅમથા રંગમંચ પર કેવું વિશાળ જગત નૃત્ય કરી રહ્યું છે. તેને પાર પામ મુશ્કેલ છે. ઇંદ્રિયગત માર્ગમાં દેખાતું આ બાહ્ય જગત તેની તુલનામાં ખૂણામાં પડેલા એક રજકણની જેમ દેખાતું નથી.
ચિરપરિચિત ઇંદ્રિયના રાજ્યને ત્યાગ કરીને તે એક વાર – માત્ર એક વાર આ અંતરંગ જગતમાં પ્રવેશ કર. સંપૂર્ણ રહસ્ય તારી સમજમાં આવશે અને તે ચકિત થઈ જઈશ. તેને નહિ જાણવાથી તે પરિસ્થિતિઓને દાસ બનતે. જાય છે અને તે દાસત્વને જ તું સ્વાતંત્ર્ય માને છે. આ તારું જીવન છે. તું જે જીવન જીવી રહ્યો છે તે તારું બાહ્ય – નકલી જીવન છે, અને જેને હું ‘ચિત્તના નામથી ઉલ્લેખ કરું છું તે તારું અત્યંતર જીવન છે. ઇંદ્રિયજગતની દષ્ટિને કારણે તે કેવળ બાહા જીવનથી પરિચિત છે. અત્યંતર જીવન ઇક્રિયેથી અતીત – સૂક્ષ્મ હોવાથી આજપર્યંત તે તારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org