________________
અતષ્ઠિ
૫
અથ-મર્મ હસ્તગત નહિ કરે. હું મહાપુંડરીક ! તું તારી મહુત્તાને જો, આવે ક્ષુદ્ર ન થા. શું તને દાસત્વ પસંદ છે? તારી સ્વતંત્રતાને માટે કેમ પ્રયત્ન કરતા નથી ? અરે ! હું સમયે કે તને તારા દાસત્વનું જ ભાન નથી. જે તને ભાન હેાત તે! તું સર્વ બંધનને નાશ કરી દેત. પરંતુ અંતર્દ્રષ્ટિ વગર તે બંધનની પ્રતીતિ થવી સંભવિત નથી. બહારમાં તું સ્વતં`ત્ર જણાય છે. વ્યક્તિ કે રાષ્ટ્રની અપેક્ષાએ તું ઇચ્છે તે કરી શકે, ઇચ્છે તે છેડી શકે કે ભગવી શકે છે. તેથી તું માને કે ‘હું” સ્વતંત્ર છું.
પ્રભુ ! તું મહાન ભૂલ કરી રહ્યો છે. તું ગુરુઓના શરણમાં આવ તે તને સમજાશે કે તું સ્વતંત્ર છે કે પરતંત્ર છે. વિજ્ઞાને પૃથ્વી પર સ્વર્ગ ખડું કર્યુ· જણાતું હાય તે પણ શું તે સ્વતંત્ર છે? અને જો હાય તેા આટલી દુઃખદ સ્થિતિ, આવી શંકાએ શા માટે? અંતરથી વિચાર કર. તે સર્વ પરિસ્થિતિથી વિવશ છે. વ્યક્તિ હા કે સમાજ, દેશ હા કે રાષ્ટ્ર, જ્ઞાન હૈા કે વિજ્ઞાન, જે કઇ પ્રસાર કરે છે તે સર્વ પરિસ્થિતિને વશ છે. જે પરિસ્થિતિ માધા ન કરતી હોત તેા માટલે સંઘ શા માટે ? અંદર, બહાર, વ્યક્તિ, સમાજ, રાષ્ટ્ર કે વિશ્વ – સર્વત્ર સંઘર્ષોં ચાલી રહ્યો છે. શા માટે ? ઉત્તર એક જ છે કે પરિસ્થિતિવશ'. ડાઇ તેમ કે કરવા ઇચ્છતું નથી છતાં પરિસ્થિતિવશ કરવું પડે છે. તેનાથી મેટું દાસત્વ શું હેાઈ શકે?
પરંતુ આ ‘પરિસ્થિતિ'નું ભૂત શું છે, કયાં બેઠું છે તેના વિચાર કર્યો છે? ઇંદ્રિયજગતમાં રાચતા જીવે માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org