________________
કર્મ રહસ્ય પાસે શ્રવણ કરીને કે કોઈ ગ્રંથ વાંચીને આ પંક્તિ કંઠસ્થ કરનારાને તે દૃષ્ટિ પ્રાપ્ત થઈ છે એવું પણ નથી. જ્યાં તે પંક્તિને વાચ્યાર્થી સમજાય છે ત્યાં પ્રવેશ કર્યા વગર કેવળ આ પંક્તિને કંઠસ્થ કરી લેવા માત્રથી પિતાને અંતર દષ્ટિસંપન્ન સમજી લેવા તે સ્વયં પિતાની જ આંખમાં ધૂળ નાખવા બરાબર છે.
શબ્દ એ વિષય તથા ધનની જેમ ઈદ્રિયજગતને એક પદાર્થ છે. વિષયભેગથી શબ્દભેગ અધિક હોવાની સંભાવના છે. વિષયભેગનું વર્તુળ કેવળ એક વ્યક્તિ સુધી સીમિત છે. શબ્દભેગનું વર્તુળ હજારો-લાખ વ્યક્તિઓના ભેગને પિતાની અંદર સમાવી લે છે. વિષયભેગથી ધનને લેભ ઉત્પન્ન થાય છે અને શબ્દભેગથી પ્રશંસાશ્રવણનો લોભ ઉત્પન્ન થાય છે. બંને પ્રકારમાં કોઈ ભેદ નથી, કેવળ બહારનું વસ્ત્ર બદલવાથી વ્યક્તિ બદલાઈ જતી નથી. તેમ લોભ ન વેશ પરિધાન કરીને સંસારના રંગમંચ પર આવે છે. આવી સૂક્રમ પરિણમનવૃત્તિને અંતર્દષ્ટિવાળે જાણી શકે છે. અને તેથી તે એ દૂષણથી બચી શકે છે. જે એ વૃત્તિ જાણતા નથી, કે અજ્ઞાન સેવે છે તે બચી શકતે નથી. ધન કે તેવા અન્ય ભેગ જે પ્રકારે વ્યક્તિની સાથે જતા નથી તે પ્રકારે શબ્દ કે તેવા પ્રશંસાવાચક પ્રકારે પણ વ્યક્તિની સાથે જતા નથી પણ અહીં જ રહી જાય છે. એ
હે ભવ્ય! હે મુમુક્ષુ ! તું બાહ્ય સર્વ પ્રપંચથી વિમુક્ત થઈ તારી અંદર જે, કે જ્યાં ઉપરોક્ત પંક્તિને અખંડ જપ ચાલી રહ્યો છે અને ત્યાં સુધી ચાલશે કે જ્યાં સુધી હું તેને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org