________________
અંતર્દષ્ટિ
ਭਰ ਵbsb bsshb -chessb sessਣtest
shr આતમકે હિત હૈ સુખ, સે સુખ આકુલતા બિન કહિયે, આકુલતા શિવ માહિં ન તાતેં, શિવમગ લાગો ચહિયે.
આત્માનું હિત તે સુખ છે, તે સુખ આકુળતારહિત છે.
અંતર્દષ્ટિસંપન્ન ઋષિમુનિઓના શરણથી દર્શનશાસ્ત્રનિ પ્રવેશ થાય છે. અંતર્દષ્ટિ જાગ્રત થયા વગર ઉપરની આ પંક્તિનું મૂલ્ય સમજાશે નહિ. આ જગતના કવિઓની ક૯પના જેવા આ વ્યર્થ પ્રલા૫નું શ્રવણ કરવા આજે કોણ તૈયાર છે? કદાચ આકાશપુષ્પની પ્રાપ્તિ સંભવિત બને. પરંતુ આ કલ્પનાને સ્વીકાર પામતી કોઈએ જોઈ નથી કે જોવાની આશા પણ રાખી શકાય તેમ નથી. કદાચ ભવિષ્યમાં કોઈ એક વિરલ વ્યક્તિને કાકતાલીય ન્યાયે તેની પ્રાપ્તિ થશે તેવી કલ્પના કરી વર્તમાનની આશા કેણ છોડી દેશે?
ઉપરની પંક્તિને પ્રત્યક્ષ અર્થ છોડીને આવે કા૫નિક અર્થ હસ્તગત કરવાને પ્રયાસ જળમાંના ચંદ્રબિંબને હસ્તગત કરવાનો પ્રયાસ નહિ તે બીજું શું છે? જેને અંતર્દષ્ટિ પ્રાપ્ત થઈ નથી તેને માટે આ તક હોઈ શકે ? તેને આપણે મિથ્યા પણ કહી શકતા નથી કારણ કે ઇન્દ્રિયજગતમાં એવી ભૂમિકા છે જ ક્યાં? વળી કોઈ અન્યની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org