________________
સહજ અવસ્થા
૧૫
થશે કે તુ જે સંકીણુ તથા મિથ્યા કતૃત્વને પોતાના પુરુષાર્થ માનતા હતા તે વ્યવહારભૂમિ ઉપર પુરુષાર્થ નામથી પ્રસિદ્ધ છે, પરંતુ તે પરમા ભૂમિ પર વ્યથ છે. અને જે પારમાથિક સાતૃત્વને તું અકર્મણ્યતા કહે છે તે જ વાસ્તવમાં તારા સાચા પુરુષાર્થં છે. તે આત્મસાત્ થવાથી તું અણુથી મહાન બની જઇશ. તારા ભવભવને ક્ષેાલ શાંત થશે. સમતા તથા શમતાના આવિર્ભાવ પ્રગટ થશે. તું સદાને માટે કૃતકૃત્ય થઇ જઈશ. ત્યારે તારે માટે કઈ જ કરવાનું શેષ નહિ રહે.
૩. તાત્ત્વિક ક વ્યવસ્થા
પૂર્ણ ‘અહં'નું અહંકારના રૂપમાં સંકીણુ થવું અથવા સમગ્રને છેડીને એક એક પ૨ આંગળી મૂકવી તે અજ્ઞાન તથા અવિદ્યા છે, જેને અન્ય દર્શનકાર માયા કહે છે. સત્યને અસત્ય અને અસત્યને સત્ય કહેવું-દેખાડવું, મનાવવું તે તેનું કાય છે. જેમ કોઈ ઘડો. ઊંધા મૂકવાથી તેના પરના બધા જ ઘડા ઊધા રાખવા પડે છે તેમ પૂર્ણથી અપૂર્ણ થઈ જવાના કારણે તેની સર્વે પ્રવૃત્તિએ અપૂર્ણ થઈ જાય છે. અપૂણુતા દ્વારા અપૂર્ણતાની પ્રાપ્તિના સર્વ પ્રયાસ નિરર્થક છે. તેની અદ્યર વિપરીત વિકલ્પ તથા કષાયાના એક મિથ્યાભાવ નિર્માણ થઈ જાય છે, જેને કારણે વ્યક્તિ નકામી કર્તા-કર્મ, ક્રિયા અથવા કાર્ય-કારણની શૃ‘ખલામાં મધાઈ જાય છે. ઉદયમાન વિકલ્પ દ્વારા અંદરમાં માસિક જન્મમરણ અને એના પરિણામરૂપે મહારમાં શારીરિક
૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org