________________
૨૨૪
કમરહસ્ય. પ્રભુ! તું તારી પ્રભુતાને સંભાળ અને કારણેને આશ્રય છોડીને જ્ઞાનને આશ્રય લે, તું સ્વંય પ્રભુ તથા વિભુ બની જઈશ. તું સર્વવ્યાપક સર્વગત બની જઈશ. જેમ કોઈ મેટા કારખાનામાં મશીન તથા તેના અન્ય ભાગે સ્વયં કામ કરી રહ્યા છે, તેમાં મનુષ્યની સહાય જરૂરી નથી હોતી. સ્વયં સંચાલિત હોય છે, તેમ આ વિશ્વની વ્યવસ્થા સ્વયં સંચાલિત છે. તારે અહંકાર કે બુદ્ધિ તેમાં કંઈ જ હેરફેર કરી શકતાં નથી. તારું અજ્ઞાન તથા મિથ્યા કર્તાવ પણ વાસ્તવમાં તે સહજ વ્યવસ્થાને આધીન છે, તેમાં કંઈ જ ભેદ નથી.
હું સર્વ કંઈ છું, હું સર્વ કંઈ કરી શકું છું, મારા વિના જરા પણ ચાલશે નહિ આવી કર્તુત્વની દઢ ગ્રંથિ જે તારા હૃદયમાં બેઠી છે, તેની ઘેષણ જે તું અહંકારની સંકીર્ણ ભૂમિમાં ન કરે અને તેને બદલે વિશ્વવ્યાપી જ્ઞાનની ભૂમિમાં બેસીને કરે તે તે જરૂર સત્ય બને. કારણ કે તે સમયે તું સમગ્રને પ્રતિબંધ લગાવીને કરવાધરવાના વિકપથી રહિત થઈને કેવળ તેને તમાશે જોશે ત્યારે તને સહજતાને અનુભવ થશે. અહંકારની ભૂમિમાં તે દર્શનની સંભાવના નથી.
હે પ્રભુ! હું તને કઈ પ્રકારનું દુઃખ આપવા માગતે નથી કે તારી સ્વતંત્રતાને છીનવી લઈ તને પરતંત્ર બનાવવા માગતું નથી. વિશ્વની કાર્યકારણ વ્યવસ્થાનું તાવિક સ્વરૂપ દર્શાવીને હું કેવળ તારાં વિવેકચક્ષુ ખેલાવવા માગું છું, જેથી તું તારી ભૂલને જાણું શકે. ત્યારે તને એ પણ ભાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org