________________
૨૨૬
કર્મ રહસ્ય જન્મમરણ કરતું રહે છે. અંદર તથા બહાર જન્મમરણ રૂપ આ સંસરણ જ “સંસાર” શબ્દને સંકેત છે, જેનાથી મુક્તિ પામવા માટે તું કેટલા સમયથી નિષ્ફળ પ્રયત્ન કરી રહ્યો છે.
કર્મસિદ્ધાંતના માધ્યમથી આ વિશ્વની તાવિક વ્યવસ્થાનું ચિત્ર પ્રસ્તુત કરવામાં આવ્યું છે. તેમાં કેઈની ખુશામત કે હસ્તક્ષેપ ચાલતું નથી. જે આ વાત સમજાય તે અહંકાર શિથિલ થઈ જાય છે. ત્યારે તું કર્તુત્વને પક્ષ છેડીને ભવનત્વ સ્વના પક્ષને આશ્રય લેજે. કરું કરે અને કરાવતે જેવાને બદલે સર્વત્રનું અસ્તિત્વ છે. ત્યાં કોઈ કર્તા નથી, કઈ કારણ નથી, કેવળ ભવન જ છે. સ્વયં થતું રહે છે. કોઈ કંઈ કરતું નથી. જે કરે છે તે ભગવે છે, અને ભગવે છે તે કરે છે. જે કરતે નથી તે ભગવતે નથી, જે, ભગવતે નથી તે કરતું નથી. જ્ઞાતાદ્રષ્ટાભાવ દ્વારા જે સમગ્રને અને સમગ્રની આ કાર્યકારણ વ્યવસ્થાને જાણે છે તે કેવળ જાણે છે. કંઈ કરતા નથી. અને અહંકારના સંકીર્ણ કર્તુત્વ દ્વારા જે કંઈ કરે છે તે કેવળ કર્તા છે, તે કંઈ જાણતું નથી. મન અથવા ચિત્ત એક જ છે, એક જ સમયમાં એક જ કાર્ય થાય છે. જાણતી વખતે કરવાની અને કરતી વખતે જાણવાની તેમ બે કિયા થઈ શકતી નથી. જે કરે છે તે કર્તા કર્મ વગેરે શૃંખલામાં બંધાય છે, જે કેવળ જાણે છે તે છૂટે છે.
जो खलु संसारस्थो जीवो ततो दुहोदि परिणामो । परिणामादो कम्मा कम्मादो होदि गदिसुगदी ।
Jain Education International
uona!
For Private & Personal Use Only
www.jainelibrary.org