________________
સ્વાતંત્ર્ય
૨૦૫
રૂપે મેક્ષને હેતુ કહેવાય છે. જોકે લૌકિક પુણ્યથી સ્થિતિને નાશ તે થાય છે પરંતુ એની અપેક્ષાએ તે નગણ્યતુલ્ય – અતિ અલ્પ છે. તેથી કેવળ કલ્યાણના માર્ગમાં તેની ચર્ચા થતી નથી.
આ વિષયમાં બીજી આ વાત પણ ધ્યાનમાં રાખવા. ગ્ય છે. ચિત્તની સ્થિતિ બે પ્રકારની છે. તે સમ અને વિષમ છે. જ્યાં સુધી પૂર્ણ સમતા હસ્તગત થતી નથી. ત્યાં સુધી વિષમતાનું રહેવું સ્વાભાવિક છે. જેમ જેમ સાધક ઉપર ઊઠે છે તેમ તેમ સમતા વૃદ્ધિ પામે છે અને વિષમતા હાનિ પામે છે. છતાં પણ તે વિષમતા જ છે, અને તેના સદ્ભાવમાં વિષમતાયુક્ત કર્મ જ સંભવ છે, સમતાયુક્ત નહિ. અધિક વિષમતાના સદ્ભાવમાં અધિક વિષમ અને હીન વિષમતાના સદ્દભાવમાં હીન વિષમ કર્મ સંભવ છે.
પાપકર્મ સકામ હોય છે, નિષ્કામ હેતું નથી, કારણ કે ભેગાકાંક્ષા જ વ્યક્તિને પાપમાં ખેંચે છે. પુણ્યકર્મના બે પ્રકારે છે તે સકામ અને નિષ્કામ. સકામ પુણ્ય લૌકિક છે, અને નિષ્કામ પુણ્ય લોકેન્સર છે. દેવ-દર્શન, પૂજા, કીર્તન, ભજન, અભ્યાસ, ગુરુસેવા, સમાજસેવા, ભક્તિ, સ્વાધ્યાય, મનન, ચિંતન, સંયમ, ત્યાગ, તપ, ધ્યાન તથા સમાધિ સર્વ સકામ હોય છે અને નિષ્કામ પણ હોય છે. સકામ હોવાથી પાપાનુબંધી છે અને નિષ્કામ હોવાથી પુણ્યાનુબંધી છે. સંસારહાનિના હેતુરૂપ હોવાથી નિષ્કામ પુણ્યને પરંપરાએ મેક્ષને હેતુ કહ્યાં છે, સકામ પુણ્યને નહિ. તેથી હું કલ્યાણકામી! તું પુણ્યકર્મને ત્યાગ ન કર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org