________________
સ્વાતંત્ર્ય
૨૦૩ સ્વાતંત્ર્ય કેવી રીતે મળે? પુણ્યને કેવળ એક પક્ષે જેવાથી એમ લાગે છે. તેને બીજે પક્ષ જેવાથી સ્વયં સમાધાન થઈ જાય છેઃ પુણ્ય બે પ્રકારનું છે. પારમાર્થિક હિતથી વિવેકશૂન્ય લૌકિક પુણ્ય, તથા પારમાર્થિક હિતના વિવેકસહિત પારમાર્થિક પુય. પ્રથમનું પાપાનુબંધી છે, તે ફળાકાંક્ષાયુક્ત હોવાથી તેના દ્વારા પ્રાપ્ત સુખેમાં વ્યક્તિ આસક્ત થઈને પ્રાયઃ ન્યાય-અન્યાય, હિતાહિતને ભૂલી જાય છે. બીજો પ્રકાર પુણ્યાનુબંધી કહેવાય છે. તે ફળાકાંક્ષાથી નિરપેક્ષ છે, તથા હિતાહિતના વિવેકથી યુક્ત હેવાને કારણે તે ભેગમાં આસક્ત થતું નથી.
બીજી વાત એ છે કે બંધની અપેક્ષાએ પાપ તથા પુણ્ય બંને સરખાં જ છે, પરંતુ સૈદ્ધાંતિક દૃષ્ટિથી બંનેમાં આકાશપાતાળનું અંતર છે. પાપ સર્વથા બંધ છે, અને પુણ્ય કથંચિત્ બંધ છે. તેનું કારણ એ છે કે પાપ દ્વારા પાપ અને પુણ્ય બંનેની સ્થિતિમાં ઉત્કર્ષણ થાય છે, જેથી સંસારની વૃદ્ધિ થાય છે. અને પુણ્ય દ્વારા પાપ તથા પુણ્ય બંનેની સ્થિતિનું અપકર્ષણ થાય છે, જેથી સંસારની હાનિ થાય છે. વિવેકયુક્ત અથવા પુણ્યાનુબંધી પુણ્ય હોવાથી આ આકર્ષણ કે સંસારહાનિ સામાન્ય પુણ્યની અપેક્ષાએ અનંતગુણી અધિક હોય છે, તેથી પરમાર્થ હિતના માર્ગમાં પુણ્ય અત્યંત ઉપાદેય છે.
આ વિષયમાં એક વાત વિશેષ ધ્યાનમાં રાખવા જેવી. છે કે વિવેકયુક્ત પુણ્યથી પાપની સ્થિતિને નાશ હોય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org