________________
૨૦૨
કર્મ રહસ્ય પરથી પડતે મનુષ્ય ઉત્તરોત્તર શીવ્રતાથી પડતું જાય છે તે પ્રકારે એક વાર પાપાત્મક સંસ્કારની અધીનતા પ્રાપ્ત થવાથી વ્યક્તિ અધિકાધિક શીવ્રતાથી પાપ પ્રત્યે પ્રેરાય છે. તે જ પ્રમાણે એક વાર પુણ્યાત્મક સંસ્કારની આધીનતા પ્રાપ્ત થવાથી વ્યક્તિ અધિકાધિક શીઘ્રતાથી ઉપર ઊઠીને પુણ્ય પ્રત્યે પ્રેરાય છે.
પુણ્ય ઉદય થવાથી જે વ્યક્તિ તેને વિવેકપૂર્વક સદુપયોગ કરે તે તેનાં પુણ્યાત્મક પરિણામને કારણે નવીન પુણ્યને બંધ થાય છે અને સાથે સાથે કર્મો કે સંસ્કારો અને બીજી ચાર વાતને સમાવેશ થાય છે. પુણ્ય તથા પાપ બંનેની સ્થિતિનું અપકર્ષણ, પાપાત્મક સંસકારોના અનુભાગનું અપકર્ષણ, પુણ્યાત્મક સંસ્કારોના અનુભાગનું ઉત્કર્ષણ અને પાપાત્મક સંસકારેનું પુણ્યના રૂપમાં સંક્રમણ. આમ થવાથી વર્તમાન સમયવતી પુણ્યના ઉદયમાં દ્વિતીય સમયવતી પુણ્યની શક્તિ અધિક વૃદ્ધિ પામે છે. તે પ્રમાણે. આગળ આગળની ક્ષણમાં જે સંસ્કાર ઉદયમાં આવે છે તે પિતાના પૂર્વવતી સંસ્કારની અપેક્ષાએ ઉત્તરોત્તર અધિક શક્તિવાળા હોય છે. તેના ફળસ્વરૂપે જીવનનાં પરિણામ ઉત્તરોત્તર વિશુદ્ધથી વિશુદ્ધતર અને વિશુદ્ધતરથી વિશુદ્ધતમ થતાં જાય છે. આ જ દિશાપરિવર્તન છે, જેને કારણે
વ્યક્તિ અધિક અધિક શીઘ્રતાથી યોગ્ય રીતે ઉપર ઊઠે છે. ૩, પુણ્યનું સાકિય
પ્રશ્ન થ સંભવે છે કે પાપની જેમ પુણ્ય પણ બંધન છે તે પછી તેની ઉત્તરેત્તર વૃદ્ધિથી વ્યક્તિને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org