SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વાતંત્ર્ય ૨૦૧ જાય છે. તેવા અવસરને સદુપયોગ કરે તે દિશાપરિવર્તન થઈ શકે. આવા અવસરની પ્રાપ્તિ થતાં પ્રથમ પ્રત્યેક ક્રિયા કેઈ ને કોઈ રૂપમાં ભેગાસક્તિયુક્ત હોય છે. તેથી સત્તામાં પડેલા સંસ્કારની સ્થિતિનું ઉત્કર્ષણ થયા કરતું હતું. અને સાથે સાથે પુણ્યાત્મક સંસ્કારનું પાપાત્મકરૂપે સંક્રમણ થતું જતું હતું. પાપાત્મક બનીને તે ઉદયમાં આવ્યા કરતું હતું. તેને કારણે જીવ ઉત્તરોત્તર અધિક પતનની દિશામાં જતું હતું. પરંતુ અવસરને સદુપયોગ કરવાથી તેમાં પરિવર્તન આવે છે. સ્થિતિમાં વધારે થવાને બદલે અપકર્ષણ દ્વારા તેમાં ઘટાડે થતું જાય છે, અને પાપાત્મક સંસ્કાર પુણ્યાત્મકના રૂપમાં સંકમિત થઈ જાય છે. ઉત્તરત્તર અધિક અધિક પુણ્યાત્મક થઈને તે ઉદયમાં આવવાને કારણે જીવ ઉત્તરોત્તર ઉપરની દિશામાં આગળ વધે છે. જેમ પહેલે ઘડે ઊંધ રાખવાથી તેના પર જેટલા ઘડા મૂકે તે સઘળા ઊંધા રહેશે. તે પ્રમાણે એક વાર પાપમુખ થઈ જાય તે પછી બંધ, ઉદય, સત્વ, અપકર્ષણ, ઉત્કર્ષણ કે સંક્રમણ સર્વ કરણ તેની સીમામાં પાપનૂખ બનતાં જાય છે. અને જે પ્રકારે એક પહેલે ઘડે સીધે રાખવાથી પછીના સર્વ ઘડા સીધા જ હેય છે, તે પ્રકારે એક વાર સંસ્કારને પુણ્યનુખ કરવાથી બંધ, ઉદય, સત્વ આદિ સર્વ કરણ તેની સીમામાં પુણ્યાત્મક થાય છે. તે ઉપરાંત તેની ગતિમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થતી જાય છે. તેને વિજ્ઞાનની ભાષામાં acceleration કહે છે. જેમ નિસરણી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005295
Book TitleKarm Rahasya
Original Sutra AuthorN/A
AuthorJinendra Varni, Sunandaben Vohra
PublisherSatshrut Seva Sadhna Kendra
Publication Year1987
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy