________________
૨૦૦
કર્મ રહસ્ય ૨. દિશાપરિવર્તન
હિતાહિતના વિવેકરહિત સર્વ સંસારી છે ઍન્દ્રિય ભેગમાં અત્યંત આસક્ત રહેવાને કારણે ક્યારે પણ પિતાના સ્વાતંત્ર્યની દિશામાં વળી શકતા નથી, અને કામનાની પકડમાં જકડાઈ જાય છે, તેથી ભ્રમણ કર્યા કરે છે. ગુરુકૃપા દ્વારા જે કદાચ કોઈ હિત પ્રત્યે વળે છે કે તેના આદેશ અનુસાર ધાર્મિક ક્રિયામાં પ્રવૃત્ત થાય છે તે પણ ફળાકાંક્ષાને ત્યાગ ન કરવાને કારણે શુભાશુભ – પુણ્ય કે પાપના કેંદ્રમાં ફસાઈને સમતાની ભૂમિકામાં પ્રવેશ પ્રાપ્ત કરવાનું સામર્થ્ય ધરાવતા નથી. સમતામાં પદાર્પણ કર્યા વગર વ્યક્તિને પારમાર્થિક સ્વાતંત્ર્ય મળવું સંભવિત નથી છતાં કોઈ ઈમાનદારીથી પોતાનું હિત કરવા ચાહે અને કામનાના પ્રપમાં ફસાઈ ન જાય તે પિતાના એ સ્વાતંત્ર્યથી તે પૂરી રીતે હિતને સાધ્ય કરી શકે છે.
જોકે તીવ્ર સંસ્કારોના ઉદયકાળમાં વ્યક્તિમાં હિતાહિતને વિવેક તથા તેવી નિષ્ઠા હેવી સંભવ નથી. છતાં સંસ્કાર ઉદયમાં આવે છે ત્યારે જે તે ચાહે તે ગુરુના શરણ દ્વારા વિવેક પ્રાપ્ત કરીને પિતાનું હિત સાધે છે. છતાં તીવ્ર ભેગાસક્તિના વેગમાં તે એમ કરી શક્યું નથી. મંદ સંસ્કારના ઉદયમાં તેને જે અવસર પ્રાપ્ત થાય છે તે પણ કઈ વાર વ્યર્થ ચાલી જાય છે. હિતેનુખ હોવાને કારણે એવા અવસર આપણું જીવનમાં અનેક વાર આવે છે. પરંતુ આપણે તેનું મૂલ્ય સમજતા નથી તેથી તે વ્યર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org