________________
કમરહસ્ય જે પ્રકારે સ્થિતિનું અપકર્ષણ-ઉત્કર્ષણ થાય છે તે પ્રકારે અનુભાગનું પણ થાય છે. વિશેષતા એટલી જ છે કે સ્થિતિના અપકર્ષણ-ઉત્કર્ષણ દ્વારા કર્મો કે સંસ્કારોના ઉદયકાળમાં અંતર પડે છે. અપકર્ષણ દ્વારા તેના ફળાદાનની શક્તિમાં અંતર પડે છે. અપકર્ષણ દ્વારા તીવ્રતમ શક્તિવાળ સંસ્કાર એક ક્ષણમાં અતિ મંદ થઈ જાય છે અને ઉત્કર્ષણ દ્વારા અતિમંદ શક્તિવાળા સંસ્કાર એક ક્ષણમાં અતિ તીવ્ર થઈ જાય છે.
કુસંગતિ કે સુસંગતિને કારણે વ્યક્તિના સંસ્કાર પરિવર્તન થતા જોઈએ છીએ તે પ્રકારે અધ્યયન-અધ્યાપનમનન ચિતન આદિ દ્વારા સંસ્કારમાં આમૂલ પરિવર્તન થઈ શકે છે. અભ્યાસમાં ઘણું શક્તિ છે. વ્યક્તિ જેવું વિચારે છે કે બોલે છે અને કરે છે તેવું વિચારવાને, બલવાનો તથા કરવાને અભ્યાસ થઈ જાય છે. તે અભ્યાસ દ્વારા જ્યાં નવા સંસ્કારનું નિર્માણ થાય છે, ત્યાં સત્તાના કેષમાં રહેલા જૂના સંસ્કારનું પરિવર્તન સાથે સાથે થઈ જાય છે. અશુભ સંસ્કાર પરિવર્તિત થઈને શુભ થાય છે અને શુભ અશુભરૂપે પરિણમે છે. પાપ પરિવર્તન થઈને પુણ્યરૂપે અને પુણ્ય બદલાઈને પાપરૂપે પરિણમે છે. સંસ્કારપરિવર્તનને શાસ્ત્રના સિદ્ધાંતમાં “સંકમણુ” શબ્દ સંકેત છે. વ્યક્તિ જે ઈચછે તે આ વિધાનને લાભ ઉઠાવીને શીધ્ર અંધકારથી ઉપર ઊઠી શકે છે, અને પ્રકાશકમાં પ્રયાણ કરી શકે છે, અર્થાત્ પાપાત્મક જીવનથી ઉપર ઊઠી પુણ્યાત્મક જીવન બનાવીને કામ કરીને તત્ત્વાલકમાં પ્રવેશ કરી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org