SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ દસ કરણ ૧૮૭ અને એ જ્યારે જાગ્રત થઈને પ્રેરક બને છે ત્યારે તે ઉદયગત છે. તે પ્રકારે બંધ, ઉદય તથા સત્ત્વમાં ઘનિષ્ઠ સંબંધ છે. ૩. અપકર્ષણ-ઉપકર્ષણ તથા સંક્રમણ જેટલા સમય સુધી ઉદયમાં રહેવાની અથવા ફળ આપવાની શક્તિ સહિત સંસ્કારને બંધ થાય છે તેટલે સમય તે તેની સ્થિતિ કહેવાય છે. તે પ્રકારે તીવ્ર કે મંદ જેટલું ફળ પ્રદાન કરવાની શક્તિ સહિત બંધ પ્રાપ્ત થાય છે તે તેને અનુભાગ છે. સંસ્કારવિચ્છેદના કમને દર્શાવતાં આ વાત પ્રસ્તુત કરવામાં આવી છે કે સ્વયં કર્મનીષની સ્વીકૃતિથી તથા તદ્વિષયક આત્મનિદા, નિવેદના, પશ્ચાત્તાપ આદિથી સંસ્કારની શક્તિ ઘટાડી શકાય છે. ગુરુઆજ્ઞાગત કઈ પરિણામવિશેષ દ્વારા સંસ્કારની સ્થિતિનું તથા અનુ. ભાગનું ઘટી જવું તે “અપકર્ષણ છે અને તેની વૃદ્ધિ થવી તે ઉત્કર્ષણ છે. સ્થિતિનું અપકર્ષણ થયા પછી સત્તામાં સ્થિતિ, કર્મ કે સંસ્કાર પિતાની સમયમર્યાદા પહેલાં ઉદયમાં આવીને ખરી જાય છે તે તથા સ્થિતિનું ઉત્કર્ષણ થવું તે પિતાના સમયનું ઉલ્લંઘન કરીને ઘણે કાળ પછી ઉદયમાં આવે છે. અપકર્ષણ તથા ઉત્કર્ષણ દ્વારા જે તથા જેટલાં કર્મોની અથવા સંસ્કારોની સ્થિતિમાં અંતર પડે છે તેટલું ઉદયકાળમાં અંતર પડે છે. તે સિવાય અન્ય સંસ્કારે સત્તામાં પડ્યા છે તેમાં કોઈ અંતર પડતું નથી. તે અંતર કોઈ નાનું મોટું નથી. એક ક્ષણમાં કરેડ કે અબજો વર્ષોની સ્થિતિ ઘટી શકે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005295
Book TitleKarm Rahasya
Original Sutra AuthorN/A
AuthorJinendra Varni, Sunandaben Vohra
PublisherSatshrut Seva Sadhna Kendra
Publication Year1987
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy