SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ દસ કરણ ૨. ધ, ઉદય, સત્ત્વ પ્રસંગવશાત્ કરણાનુયાગની ભાષામાં કર્મસિદ્ધાંતનાં દસ કરણેાના પરિચય આપ્યા પછી હું પુનઃ અધ્યાત્મની ભાષા પર આવું છું. કરણાનુયાગ જ્યાં દ્રવ્યકર્મને પ્રધાન માનીને વિવેચન કરે છે ત્યાં અધ્યાત્મ ચિત્તગત સંસ્કારોને પ્રધાન માનીને કથન કરે છે. એ બન્નેને સમન્વય કરવા માટે સંસ્કારનું આ અંકન હવે ચિત્તભૂમિ પર નહિ કરતાં દ્રવ્યકર્મો પર અથવા કાર્મણુ શરીર પર કરીશું. પહેલાં દર્શાવ્યું છે તેમ ચિત્ત' કોઈ સ્વતંત્ર સત્તાધારી પા નથી; બે પ્રકારે વિભક્ત જ્ઞાનને ‘અહં'વાળા ભાગ જ તે શબ્દને સંકેત છે. જ્ઞાનનું એ વિભક્તીકરણ સંસ્કારને કારણે હાય છે તેથી સમન્વયની દૃષ્ટિએ જોતાં તે કથનમાં વિરાધ લાગતે નથી. કારણમાં કાર્યના ઉપચાર કરીને અધ્યાત્મભાષામાં ભલે આપણે ચિત્તને સંસ્કારનુ અધિકરણુ કહીએ પરંતુ સૈદ્ધાંતિક દૃષ્ટિએ તેનું અંકન કાર્યણુ શરીર પર થાય છે, ચિત્ત પર થતું નથી. ચિત્ત તે તેના ફળસ્વરૂપ જ્ઞાનના વિશ્વવ્યાપી સ્વરૂપમાં ઉદય થઈ જાય છે. સંસ્કાર તથા તેમાં અંકિત દ્રવ્યકર્મમાં સ્વરૂપતઃ કઈ જ ભેદ નથી. છતાં સૈદ્ધાંતિક દૃષ્ટિથી તેને ભેટ્ટ પ્રત્યક્ષ છે. આગમગમ્ય હાવાથી દ્રવ્યકર્મ તથા કાર્મણુ શરીર સત્ય છે છતાં અનુભવગમ્ય ન હેાવાથી તે આપણાથી દૂર છે. અને અનુભવગમ્ય હાવાથી સંસ્કાર આપણાથી અધિક નજીક છે. તેથી અધ્યાત્મક્ષેત્રમાં સસ્કારની પદ્ધતિથી વાત કરવામાં કઈ અન્યાય નથી. Jain Education International ૧૮૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005295
Book TitleKarm Rahasya
Original Sutra AuthorN/A
AuthorJinendra Varni, Sunandaben Vohra
PublisherSatshrut Seva Sadhna Kendra
Publication Year1987
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy