________________
૧૮૨
કર્મ રહસ્ય શેષ રહે છે તે સર્વે મળીને તે પ્રકૃતિ સત્તા કહેવાય છે. જે પ્રકારે તિજોરીમાં પ્રતિદિન કેટલુંક ધન આવે છે તેમાંથી પ્રતિદિન અમુક રકમ ખર્ચ થાય છે, અને શેષ ધન તેમાં જમા રહે છે, તેમ સમજવું. પ્રતિસમય એ પ્રકૃતિ, સ્થિતિ, તથા અનુભાગવાળા અનેક પ્રદેશે કામણ શરીર સાથે બંધાયેલા હોય છે. તે પ્રતિસમય અનેક પ્રદેશ ઉદયમાં આવીને ખરી જાય છે અને જે શેષ પ્રદેશે તેમાં સ્થિત રહે છે તે શેષ રહેવાવાળા પ્રદેશે “સત્તામાં છે તેમ કહેવાય છે.
નિધત્ત-નિકાચિતઃ શુભ-અશુભ કઈ ખાસ પરિ. શ્રેમને કારણે કાશ્મણ વર્ગમાં સ્થિત છે તે પ્રકૃતિવાળી સ્થિતિનું તથા અનુભાગનું ઘટી જવું તે અપાકર્ષણ છે. તે જ પ્રમાણે શુભ કે અશુભ પરિણામોનાં વિશેષ કારણોથી તેની સ્થિતિ તથા અનુભાગનું વધી જવું તે ઉત્કર્ષણ છે. ફળાદાન શક્તિની જાતિ તથા પ્રકૃતિનું પરિવર્તન થઈ અન્યરૂપ થઈ જવું તે સંક્રમણનું લક્ષણ છે. પુષ્યવાળી પ્રકૃતિઓના અનુભાગનું ઉત્કર્ષણ, પાપવાળી પ્રકૃતિના અનુભાગનું અપકર્ષણ તથા પુણ્ય પ્રકૃતિના રૂપમાં તેનું સંક્રમણ થવું તે પરંપરાએ ઉપશમ, ક્ષય, અથવા ક્ષપશમનું લક્ષણ છે. તેને કારણે જીવની સ્વાભાવિક શક્તિઓને વિકાસ થાય છે. જે કાર્મણ વર્ગણાઓ અથવા કર્મોમાં અપકર્ષણ, ઉત્કર્ષણ, સંક્રમણ, ઉપશમ, ક્ષય, ક્ષયે પશમ કંઈ પણ સંભવ નથી એવા કઠોર કર્મને નિધત્ત તથા નિકાચિત કહે છે. નિધત્તમાં કદાચ ઉત્કર્ષણ થઈ શકે છે પરંતુ નિકાચિતમાં ઉત્કર્ષણ થઈ શકતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org