________________
કમ રહેસ્ય
મન, વચન તથા કાયાથી જ્ઞાતૃત્વ, કર્તૃત્વ તથા ભાતૃત્વના રૂપમાં જે કઈ કાર્ય આપણે કરીએ છીએ તે આપણું કર્મ છે. પ્રતિસમય તે કર્મના સંસ્કાર દ્રવ્યકર્મા પર અથવા તેનાથી નિર્મિત કાર્યણુ શરીર પર અંકિત થાય છે, સમય સમયવતી થતાં તે સંસ્કાર અંકન શબ્દ આસવને સૂચવે છે. અભ્યાસવર્ગી ક્રમશઃ તેનું દૃઢત્વ થઈ તે આદત કે ટેવનું રૂપ ધારણ કરે છે. તે સિદ્ધાંતભાષામાં ‘અંધ’ કહેવાય છે. તેમાં પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ એવા ચાર પ્રકાર છે. જે જાતિના સંસ્કાર હાય તે તેની પ્રકૃતિ અને જેટલા કાળ માટે હાય તે તેની સ્થિતિ છે. તીવ્રતામંદતા આદિ તેના અનુભાગ – રસ છે. જેટલી કાર્પણુ વણાઓ પર તેનું અંકન થયું તે પ્રદેશ છે.
-
આપણે સર્વ કાર્ય પ્રતિક્ષણે પુનઃ પુનઃ કરીએ છીએ તેથી નવા નવા સંસ્કાર ઉત્પન્ન થાય છે અને જૂના સંસ્કાર દૃઢ થતા જાય છે. આ સવ સંસ્કાર ઉપચેતના સ્વભાવી કાર્યણુ શરીરના અખૂટ ખજાનામાં સુપ્ત દશામાં પડી રહે છે. બહારનું કોઈ નિમિત્ત પામીને તે જાગ્રત થાય છે. કાર્યણુ શરીર તથા ઉપચેતનામાં કેટલી જાતિના સંસ્કાર અંકિત થયેલા છે તે કઈ કહી શકતું નથી. તે કાર્ય સમાસ થયા પછી ઘેાડી વારમાં વિસ્તૃત થઈ જાય છે. તેથી કોઇ એક અત્યંત પ્રધાન કાર્ય સિવાય આપણે એ પણ જાણતા નથી કે કાલે આપણે શું શું કાર્ય કર્યું હતું, કે કેઈને શું કહ્યું હતું ? કયાં ગયા હતા ? અને શું વિચાયુ હતું ? જ્યારે આપણને કાલનું જ કામ યાદ રહેતું નથી તે પછી સારા
૧૮૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org