________________
ર૯
દસ કરણ
૧. કર્મસિદ્ધાંત
કર્મસિદ્ધાંતના ક્ષેત્રમાં કરણનુગ દસ કરશે – અધિકારોનું કથન કરે છે. દ્રવ્યકર્મની ભાષામાં સૂત્રબદ્ધ એ વિવેચનને સંક્ષિપ્ત સાર “કર્મસિદ્ધાંત' નામની પુરિતકામાં પ્રસ્તુત છે. ભાવકર્મની ભાષામાં તેને સમજવા પ્રથમ વાચકે એ પુસ્તક પહેલાં વાંચી જવું જોઈએ. છતાં તેને સંક્ષિપ્ત સાર અહીં રજૂ કરવામાં આવે છે. એ દસ કરણનાં નામ બંધ, ઉદય, સત્વ, અપકર્ષણ, ઉત્કર્ષણ, સંક્રમણ, ઉપશમ, ક્ષય (ક્ષપશમ), નિધત્ત અને નિકાચિત છે.
બંધઃ તેમાં પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ તથા પ્રદેશ એ ચાર પ્રકાર છે. વિવિધ પ્રકારની રાગદ્વેષાત્મક કામનાઓ અનુસાર કાર્મણ વર્ગમાં તે તે જાતની ફળાદાન શક્તિનું ઉત્પન્ન થવું તે પ્રકૃતિ બંધ છે. જેના જ્ઞાનાવરણ આદિ આઠ ભેદ છે તે ફળાદાન શક્તિને કાર્મણ વર્ગણ જેટલો સમય પિતાની અંદર સમાવી રાખે છે તે તેની સ્થિતિ છે અને તીવ્રતા-મંદતા તે તેને અનુભાગ (રસ) છે. પ્રકૃતિના બંધ અનુસાર તે ફળાદાન શક્તિની જાતિને નિર્ણય થાય છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org