________________
૧૭૯
સંસ્કાર
દર્શન ખંડના પ્રથમ અધિકારમાં જે વ્યક્તિને પરિ. સ્થિતિને આધીન બતાવવામાં આવી છે તે પણ વાસ્તવમાં એ સંસ્કારોને કારણે છે. તત્ત્વષ્ટિએ જોતાં બાહ્ય જગતની પરિસ્થિતિઓ તે કંઈ વસ્તુ છે જ નહિ. આપણી અંદર ઉપચેતનામાં જન્મજન્માંતરના સંસ્કારોનું તે કાર્ય છે. બાહ્ય પરિસ્થિતિ કેવળ તેની જાગૃતિમાં નિમિત્ત છે. પરિસ્થિતિ સ્વયં કંઈ કરવા શક્તિમાન નથી. જોકે જણાય છે એવું કે પરિસ્થિતિઓ આપણને બાંધે છે. એ વાત સમજી લેવી કે આપણે પરિસ્થિતિઓના નહિ પણ સંસ્કારના દાસ છીએ. પ્રથમ અધિકારમાં તમે પ્રશ્ન પૂછ્યો હતો કે પરિ સ્થિતિ ક્યાં રહેલી છે? તે કંઈ બહાર નથી, સંસ્કારના રૂપમાં આપણી અંદર છે. તે ઉપચેતનાના અક્ષયપાત્રમાં રહેલી છે. તેને શાસ્ત્રભાષામાં બંધતત્વ કહે છે.
આ સંસ્કારોને તેડવા કે બદલવા એ જ પારમાર્થિક સ્વતંત્રતા પ્રાપ્ત કરવાને ઉપાય છે. મુમુક્ષુ, સાધકે કે ગીઓનું એ એકમાત્ર લક્ષ્ય હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org