________________
૧૭૬
કમ રહસ્ય અત્યંત ક્ષીણ પ્રથમ પ્રભાવને પણ ગ્રહણ કરવા માટે તે સમર્થ નથી. જેમ અનેક ક્ષણિક પાક-સમૂહથી અર્ધા કલાકમાં ચડી ગયેલા ભાતને સ્થૂલ પાક આપણું પ્રતીતિ વિષય બને છે; વળી જેમ અનેક સૂક્ષ્મ પરમાણુઓના સમૂહથી ઉત્પન્ન સ્થૂલ અંધ આપણી પ્રતીતિનો વિષય બને છે, તે પ્રમાણે એક જ કાર્યને પુનઃ પુનઃ કરવાથી ઉત્પન્ન થતા અનેક ક્ષણિક પ્રભાવે તે સર્વના પારસ્પરિક સંગથી ઉત્પન્ન થૂલ સ્વભાવ આપણી પ્રતીતિને વિષય બની જાય છે. કાર્ય કે કર્મને આ સ્થૂલ પ્રભાવ જ આદત કે સંસ્કાર શબ્દને સંકેત છે.
જેમ પ્રતીતિમાં આવતે સ્થૂલ કંધ, પૃથક્ પૃથક અનેક પરમાણુઓના સમૂહ સિવાય કઈ નથી, અથવા જેમ અર્ધા કલાક પછી પ્રતીતિમાં આવતા ભાતનું પૂર્ણ સિદ્ધ થવું પૃથક્ પૃથફ અનેક ક્ષણેમાં ચડેલા ભાતના સમૂહ સિવાય કઈ નથી, એ પ્રકારે એક લાંબા કાળની પછી પ્રતીતિમાં આવતે સંસ્કાર પણ વિભિન્ન કાળમાં કૃત કર્મોના પૃથક પૃથક અનેક પ્રભાવના સમૂહ સિવાય કંઈ નથી. ત્યાં પ્રત્યેક સમયમાં પ્રાપ્ત કરનાર સૂક્ષ્મ પ્રભાવને આપણે આસવ કહી શકીએ છીએ. સંસ્કાર કે ટેવના રૂપમાં અનેક પ્રભાનું દઢ થઈ જવું તે બંધ તત્વ છે.
કોઈ એક કાર્યનું નિરંતર અથવા થોડે થેડે અંતરે (વચ્ચે વચ્ચે) પુનઃ પુનઃ રટણ કરવું તેને અભ્યાસ કહેવાય છે. સંસ્કારનિર્માણમાં અથવા કર્મબંધમાં તેનું પ્રધાન સ્થાન છે. તેથી કર્મગત ઉત્પન્ન ક્ષીણ પ્રારંભને પ્રભાવ પ્રત્યેક સમયે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org