________________
સંસ્કાર
૧૫ કુટેવ પડે છે એ સર્વ કર્મગત સંસ્કારે છે. દુર્જનની સંગતિ કરવાથી દુર્જનના સંસ્કાર પડે છે અને સજજનની સંગતિ કરવાથી સજ્જનતાના સંસ્કાર પડે છે એ વાત જગપ્રસિદ્ધ છે. શાસ્ત્રોમાં માતાના ઉદરમાં ગર્ભાવસ્થાથી મૃત્યુપર્યત ૫૬ સંસ્કારોની વાત આવે છે. ૩. સંસ્કાર-નિર્માણ કામ
આ ઉપરથી સંસ્કાર-નિર્માણને સિદ્ધાંત નિશ્ચિત કરી લેવું જોઈએ કે સારા ખેટા કઈ પણ કાર્યની અસર આપણા ચિત્ત પર પડે છે. કાર્ય પૂરું થઈ જવા છતાં ચિત્ત પરની અસર સમાપ્ત થતી નથી. ભલે તે પૂર્વાવસ્થામાં પ્રતીતિને વિષય બને પરંતુ તેને પ્રભાવ અવશ્ય હોય છે. તેને આપણે તર્ક દ્વારા સિદ્ધ કરી શકીએ છીએ. વાસણમાં ચોખા રાંધવા માટે અગ્નિ પર રાખવામાં આવે ત્યારે તે પ્રથમ ક્ષણમાં થોડા પણ ચડતા જાય છે નહિ? તે સર્વથા ચડી જતા નથી. તે પ્રમાણે બીજી ત્રીજી ક્ષણમાં વિશેષ ચડતા જાય છે, જે તેમ ન થાય તે એકાએક વીસ કે ત્રીસ મિનિટમાં ચેખા ચડી જાય નહિ. તે પ્રકારે આપણા ચિત્ત પર દરેક ક્ષણે અસર પડે છે.
આ ઉપરથી એ સિદ્ધાંત નિર્ધારિત થાય છે કે કાર્યને પ્રથમ પ્રભાવ ગમે તે મંદ હોય તે પણ તેની અસર ચિત્ત પર અવશ્ય પડે છે. આપણી વચ્ચેની પ્રતીતિઓ અત્યંત સ્થૂલ હોય છે, તે સ્થૂલ વસ્તુઓને જ ગ્રહણ કરે છે, સૂક્ષ્મને ગ્રહણ કરતી નથી. જે પ્રમાણે આપણું જ્ઞાન પરમાણુને ગ્રહણ કરવા માટે સમર્થ નથી તે પ્રકારે આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org