________________
૧૬૮
કમરહસ્ય હાથી ક્યાંથી દૂર થાય? હાથી ક્યાં હતું? નિષેધને નિષેધ થવાથી હાથી સ્વયં દૂર થઈ શકે. ધ્યાન રાખો કે મેં નિષેધને નિષેધ કરવાની વાત કરી નથી, નિષેધના નિષેધ હોવાની વાત કહી છે. નિષેધ કરે તે સ્વયં કર્તુત્વની કિયા છે તેથી તેમાં વિકલ્પ શાંત નહિ થાય. વિકલ્પથી વિકલ્પને ત્યાગ થતું નથી. તેની ઉપેક્ષા કરવી જરૂરી છે. હાથી હોય કે ના હોય, મને તેમાં કઈ પ્રયજન નથી. મારે તે પ્રજન કેવળ ભેજનનું છે. હાથી છૂટી ગયે. શિષ્ય નિરાંતે ભેજન લીધું અને ગુરુના રહસ્યાત્મક ઉપદેશને સમજી ગયે.
અને શાસ્ત્રમાં ઉપેક્ષા-ચારિત્રના નામથી કહેવામાં આવે છે. કોઈ પદાર્થ રહે કે જાય મને કોઈ પ્રયજન નથી” તેવી ઉપેક્ષા જ વિકલ્પથી મુક્તિ મેળવવાનું સાધન છે. વિકલ્પમુક્તિ જ નિરાકુળ સુખ છે. આત્મહિતાર્થે ગ્રંથ-પ્રારંભ કરવામાં આવ્યો છે. આત્માનું હિત તથા કલ્યાણ તે શિવ છે અને બંધન મુક્તિ હોવાને કારણે મોક્ષ છે. ૪. જીવન્મુક્તિ
સર્વ વિકપિરહિત અવસ્થા તે નિર્વિકલ્પતા છે. એ અવસ્થામાં કોઈ વિકલ્પ કે કાષાયિક ભાવ ન હોવાથી તે દશા શૂન્ય – મહાશૂન્ય છે. શૂન્યમનસ્કની જેમ સર્વથા શૂન્ય છે એવું નથી, સમગ્ર વિશ્વ યુગપત્ આત્મસાત્ થઈ ચૂકયું છે તેથી તે વિશ્વરૂપ છે, સમગ્ર છે, પૂર્ણ છે. શૂન્ય જ પૂર્ણ છે અને પૂર્ણ જ શૂન્ય છે. અનેક વૃક્ષવલ્લીપત્રપુષ્પાદિથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org