________________
કમરહસ્ય અનુભવથી પ્રમાણિત સિદ્ધાંત તેમાં છે. તેને સમજે કે ન સમજે અથવા સમજીને તે પ્રમાણે પ્રવૃત્તિ કરે કે ન કરે તે તમારી ઈચ્છાને આધીન છે.
એ વાત સત્ય છે કે નીચેની ભૂમિકાઓમાં સાધકને માટે આ બંને આશ્રય લે અનિવાર્ય છે. પરંતુ તાત્વિક દષ્ટિથી જોતાં રાગદ્વેષાત્મક વિકલ્પ સિવાય અન્ય કંઈ નથી. તત્વ, વિધિનિષેધથી અતીત – મુક્ત છે. સાધનાના માર્ગમાં અગ્રેસર રહેવાવાળ પથિક જેમ જેમ ઉપર ઊઠે છે, તેમ તેમ એ દ્રઢ સ્વયં શિથિલ થતું જાય છે. અંતિમ સપાન પર પહોંચીને જ્યારે દ્રઢ નિઃશેષ થઈ જાય છે ત્યારે કોઈ વિધિનિષેધ શેષ રહેતા નથી. પ્રતિક્રમણ કે અપ્રતિક્રમણથી ઉપરની આ તૃતીય ભૂમિકા છે, જેને જ્ઞાનીજનેએ અમૃતકુંભ કહ્યો છે, સાક્ષાત્ સકૃપ છે. એ પરમાર્થસાધનાનું અંતિમ લક્ષ્ય છે અને એ જ બંધનથી મુક્તિ છે.
તત્ત્વાલકના આ જગતમાં જ્યાં તત્ત્વ જ તત્ત્વમાં રમણ. કરતું પ્રતીત થાય છે, તે સિવાય અન્ય કંઈ નહિ, ત્યાં પરમાણુઓ તથા ચેતનાના સંગવિગ સિવાય અન્ય કંઈ જણાતું નથી. ત્યાં ઈષ્ટ કે અનિષ્ટ શું હોય? જ્યાં ક્રિયા તથા પ્રતિક્રિયા સિવાય કંઈ જ જણાતું નથી ત્યાં કર્તવ્ય કે અકર્તવ્ય શું હોય? તેથી તે ભાવસમતા કહેવાય છે. વૈકલ્પિક ક્ષેભ તથા ભાગદોડ શાંત થવાને કારણે એ શમતા છે, તે જ શાંતિ છે, વિશ્રાંતિ છે, પ્રશમરસ, અમૃતરસ, કે નિરાકુળ સુખ છે, આનંદની અનુભૂતિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org