________________
જીવમુક્તિ
૧, ઠંદ્ર
સ્વાર્થના વિશ્વવિજયી પ્રભાવનું હવે દર્શન કરે. તેની શક્તિ પણ ગજબની છે. તે શૂન્યમાં સુષ્ટિને રચે છે. ઉપાદાન વગર પણ જગતને ઊભું કરે છે. માટી વગર ઘડે બનાવે છે. તેથી જ અંદરમાં આવું દ્રુદ્ધાત્મક જગત વસે છે. ઈષ્ટ-અનિષ્ટ, સુંદર અસુંદર, ગ્રહણ ત્યાગ, કર્તવ્ય-અકર્તવ્ય, પુણ્ય પાપ, સુખ-દુઃખ, જીવન-મરણ, મારું-તારું, સજજનદુજન, મિત્ર-શત્રુ, સેનું પથ્થર, મહેલ-સ્મશાન વગેરે પરસ્પરવિરોધી પક્ષ તે હૃદ્ધ છે.
જે પદાર્થ ભેળવવામાં મને રસ આવે છે તે મારે માટે ઈષ્ટ છે. તે સિવાયનું સર્વ મને અનિષ્ટ જણાય છે. જે મને ઈષ્ટ છે તે મારે માટે સુંદર છે અને ગ્રાહ્ય છે. જે અનિષ્ટ છે તે અસુંદર અને અગ્રાહ્ય છે. ગ્રાહ્યને પ્રાપ્ત કરવું અને અગ્રાહ્ય ત્યાગ કરે તે મારું કર્તવ્ય છે. તે સિવાય મને સર્વ અકર્તવ્ય છે. કર્તવ્ય-કર્મ કરવું તે પુણ્ય છે અને અકર્તવ્ય-કર્મ કરવું તે પાપ છે. મેં મારું કાર્ય પૂરું કર્યું” એવા સંતેષને જનક પુણ્ય હોવાથી તે સુખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org