________________
બંધન
૧૬૧ દ્વારા પ્રાપ્ત ફળમાં મારું સ્વામિત્વ પણ હોતું નથી. પોતાના સ્વામીને માટે કરેલા કામમાં તથા તેમાં પ્રાપ્ત હાનિ કે લાભમાં મેનેજરની આત્મબુદ્ધિ હોતી નથી, તેથી કર્તુત્વની અહંકારયુક્ત કામના જ સ્વામિત્વબુદ્ધિની જનની છે.
કઈ કામ કરવાની તથા કઈ પદાર્થને પ્રાપ્ત કરવાની અથવા તેના વિષયમાં જાણકારી પ્રાપ્ત કરવાની સ્વાર્થની કામના ભકતૃત્વના કારણથી થાય છે. તેથી જે પદાર્થના ભેગમાં રસ આવે છે, તેને જાણવા તથા પ્રાપ્ત કરવા માટે હું ઉદ્યમ કરું છું. તેથી વિપરીત, જે પદાર્થ ભેગવવાની હું ઈચ્છા કરતું નથી, જે મને અરુચિકર લાગે છે, તે જાણવા કે કરવાની મને ઈચ્છા થતી નથી. વળી તે પદાર્થને સંગ્રહ કરવાને બદલે તેને ત્યાગ કરવાની કે કેઈને આપી દેવાની ભાવના રાખું છું. તેથી એમ સિદ્ધ થાય છે કે જ્ઞાતૃત્વ તથા કત્વની કામનાનું તથા તેના દ્વારા થવાવાળી સ્વામિત્વની બુદ્ધિનું એકમાત્ર કારણ ફળભેગ તથા સુખસંવેદન છે.
ફળભેગની આકાંક્ષારૂપ તે ક્ષેતૃત્વ અથવા સુખસંવેદન વાસ્તવમાં સ્વાર્થ છે. તેને સર્વ બંધનેનું, સર્વ કષાયનું, અનીતિઓનું તથા સર્વ પાપનું ફળ બતાવવામાં આવ્યું છે. આ વાત છે કે નાની લાગે છે છતાં તે કેટલી ખતરનાક છે તે જ્ઞાનીજન જાણે છે. તેના પ્રભાવને જાણવાથી વિવેક ઉત્પન્ન થાય છે. તેથી સાધક અસત્યાદિથી પિતાને બચાવીને સત્ય પ્રત્યે વળે છે.
૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org