________________
૧૬૦
કર્મ રહસ્ય તથા મમત્વ અતૃપ્ત કામનાની સાથે બંધાયેલું છે. અને એ કામને ઈદં'ની સાથે બંધાયેલી છે. આ પ્રમાણે અનેક કડીબદ્ધ એ પરંપરાગત શૃંખલા જ ચિત્તનું બંધન છે. બહારની વસ્તુ માત્ર નિમિત્ત છે. તેના અભાવમાં ચિત્ત અંદરની કલ્પના દ્વારા તેનું નિર્માણ સ્વયં કરી લે છે. તેથી બહારનું નિમિત્ત હોય ન હોય બંને તેને માટે સમાન છે. ૩. સ્વાથ તથા પરાથી
સમગ્રને છોડીને તેના અંગભૂત કોઈ એક પદાર્થ પર કેન્દ્રિત કામના સ્વયંની તથા અહંકારની તૃપ્તિના પ્રજનથી થાય છે, તેથી તે સ્વાર્થ કહેવાય છે. પરંતુ સમગ્રને હસ્તગત કરવાની કામના અહંકારને પૂણે-અહંતા પ્રદાન કરવાના પ્રજનથી હોય છે તેથી તે પરમાર્થ કહેવાય છે. તે પ્રમાણે પરોપકારની કામના અન્યના હિતાર્થે છે તેથી તે પરાર્થ કહેવાય છે. કામના ત્રણેમાં સમાન છે. પરંતુ ફળભેગની આકાંક્ષાયુક્ત હોવાને કારણે સ્વાર્થમૂલક કામના બંધનકારી છે. પરાર્થ કે પરમાર્થ યુક્ત કામના બંધનકારી નથી.
અન્ય પદાર્થોમાં ચિત્તની આ સ્વામિત્વબુદ્ધિ વાસ્તવમાં કર્તૃત્વ તથા ભેસ્તૃત્વના કારણથી હોય છે. એ પદાર્થોને પ્રાપ્ત કરવા માટે હું આ કામ કરું તેવી કામનાથી પ્રેરાઈને જે કામ હું કરું છું તેમાં આ કામ મેં કર્યું, એ અહંકાર હોય છે. તેથી તે કાર્યમાં તથા તેના દ્વારા પ્રાપ્ત વસ્તુમાં મારું સ્વામિત્વ સહજ થઈ જાય છે. બીજી બાજુ જે કામને હું કેવળ બીજાની પ્રસન્નતા માટે કરું છું તેમાં તથા તેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org