________________
બંધન
૧પ,
ધ્યાન કરવામાં મગ્ન રહે છે ત્યાં સુધી તેની સાથે એકાકાર થવાથી તે શાંત તથા સ્થિર રહે છે. પરંતુ જ્યારે તેની સમક્ષ ઈદં વિષયાકાર થાય છે ત્યારે તેમાં તન્મય થવાને કારણે અહં પણ જ્ઞાનાકાર રહેતું નથી, પણ વિષયાકાર બની જાય છે. કારણ કે ઈદનું આ રૂપ એક પછી એક આકારને ત્યાગ કરી અન્ય અન્ય આકારને ધારણ કરે છે અને આગળ વધતું જાય છે તેથી તેની સાથે તન્મય થઈને ઈચ્છા ન હોવા છતાં અહં “અહુથી ઉત્તેજિત થતું હોવાથી તેને ક્ષુબ્ધ થવું પડે છે. જેમ નદીના કેઈ તરંગને જેવાવાળી દષ્ટિ તરંગની સાથે સાથે આગળ ચાલે છે તેમ “ઈદની સાથે બંધાયેલું અહં પણ તેની સાથે આગળ આગળ વધે છે, તે તેનું બંધન છે.
બાહા કે અત્યંતર આ ઈદં'માં સ્વામિત્વબુદ્ધિ હોવાને કારણે ચિત્તને તે પ્રમાણે તેનું અનુસરણ કરવું પડે છે જે પ્રકારે ગાયને ગળામાં બાધેલી રસી પ્રમાણે દેરાવું પડે છે. આ મારી ઘડિયાળ છે. તેને તૂટવાટવા સાથે મારું ચિત્ત પણ તૂટવાફૂટવા લાગે છે. જે કોઈ તેને ચેરી જાય છે તો મારું ચિત્ત પણ તેની સાથે બંધાઈને તેની પાછળ પાછળ દોડે છે. તે ઘડિયાળ જે કેવળ ઘડિયાળ જ હોત પણ “મારી ન હોત તો તેના તૂટવાટવા કે બગડવા સાથે મારા ચિત્તમાં એવી પ્રતિક્રિયા ઊઠી ન શકત. તેથી એ વાત સિદ્ધ થાય છે કે ચિત્ત ઈદં'ની સાથે બંધાયેલું છે. તત્ત્વતઃ તે સાક્ષાત્પણે તેની સાથે બંધાયેલું છે. અહંકાર સ્વામિત્વ કે મમત્વ સાથે બંધાયેલું છે, અને સ્વામિત્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org