SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ કર્મ રહસ્ય ૩. કર્મ પણ અકમ સ્વાર્થ રહિત પરાર્થે તથા પરમાર્થ બંને પ્રકારનાં કર્મોમાં સ્વાર્થ સંભવ નથી કારણ કે પરહિતને કારણે તથા લેકે પકારને કારણે કરેલું સર્વ કાર્ય બાળકની જેમ કેવળ કર્તવ્યબુદ્ધિથી કરવામાં આવે છે તેમ સર્વ પારમથક કાર્ય પણ કરવામાં આવે છે. જોકે પરાર્થે તથા પરમાર્થમાં શીધ્ર સફળતા પ્રાપ્ત કરવાની ઈચ્છારૂપ સ્વાર્થ અવશ્ય હોય છે, પરંતુ ફળનું સેકતૃત્વ ન હોવાથી તે સ્વાર્થ સ્વાર્થ કહેવાતું નથી. તેથી બહારનું કાર્ય કરવા છતાં અંદર કઈ સ્વાર્થભાવ નથી. અધ્યાત્મમાર્ગમાં અંતઃકરણનું પ્રાધાન્ય છે, બહારનું કંઈ વિશેષ મૂલ્ય નથી. તેથી તેને અકર્તા તથા તેના કર્મને અકર્મ માનવામાં આવે છે. त्यक्तं येन फलं स कर्म कुरुते नेति प्रतीमो वयम् । ज्ञानी किं कुरुतेऽथ किं न कुरुते, कर्मे ति जानाति कः॥ એને અર્થ એ નથી કે તેના કર્મનું ફળ સર્વથા છે. જ નહિ કે પ્રાપ્ત વિષયનું સર્વથા સેવન નથી કરતો. તેનું સેવન તે અવશ્ય કરે છે, પરંતુ તેમાં ભેગવિષયક લાલસા કે આસક્તિ ન હોવાને કારણે બહારમાં સેવન હોવા છતાં અંદરમાં તે અલિપ્ત છે. તેનાથી વિપરીત એ છે કે બહારમાં વિષયનું સેવન ન હોવા છતાં અંતરમાં કલપનાઓ સેવે તે ભેતૃત્વ મનાય છે. ૪. સમન્વય - જ્ઞાતૃત્વ, કર્તુત્વ તથા ભતૃવ એ ત્રણે સકામ અને નિષ્કામ બંને પ્રકારે છે. વ્યવહારભૂમિ પર તેના વિષયમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005295
Book TitleKarm Rahasya
Original Sutra AuthorN/A
AuthorJinendra Varni, Sunandaben Vohra
PublisherSatshrut Seva Sadhna Kendra
Publication Year1987
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy