________________
સકામ અને નિષ્કામ કર્મ
૧૫૩ ગુરુ સાથે સંબંધિત છે. તેને માટે બાળકને ચિંતામાં પડવાની કેઈ આવશ્યક્તા નથી. બાળક કામ કરતા પહેલાં જેમ રમતું હતું તેમ કાર્ય પૂરું થયા પછી રમતે રહે છે. તેને કર્મજનિત કોઈ હર્ષ કે વિષાદ નથી. આ કાર્ય મેં કર્યું તે અહંકાર પણ નથી. કાર્ય કરવા સમયે તેના મન પર કઈ ભાર ન હતું. તે નિષ્કામ કર્મ માટેનું ઉદાહરણ છે.
સ્વાર્થરંજિત સકામ કર્મની પ્રવૃત્તિ કષાયમૂલક હોય છે. સ્વાર્થ કેવળ પોતાના વિષયની પ્રાપ્તિ પ્રત્યે ઉદ્યમી છે. તે ન્યાય-અન્યાયને વિચાર કરતું નથી. તેથી તે અનેક માયાચાર, છળકપટ કરે છે, જૂઠું બોલે છે, ચેરી ચુગલી કરે છે, અન્યને ઠગે છે. મારી પ્રવૃત્તિથી અન્યને કેટલું દુઃખ થશે એવી ચિંતા તે કરતે નથી. તેને માટે એની પાસે હૃદય જ ક્યાં છે? વધુ પ્રાપ્ત કરવું, સંચય કર એ જ તેનું લક્ષ્ય છે.
પુણ્યદયથી તેની ઈચ્છાપૂર્તિ થઈ જાય તે તેને પિતાના કર્તુત્વનું અભિમાન થશે. અને બીજી બાજુ પ્રાપ્ત વિષયને ભેગવવાની રતિ – આસક્તિ તીવ્ર થાય છે. જે અશુભ કર્મના ઉદયથી તેમાં કદાચિત્ અંતરાય આવે તે તે વિદ્મ કરવાવાળા પ્રત્યે તિરસ્કાર, કોધ, અને બીજી બાજુ નિરાશા, શક, અરતિ તથા ભય સેવે છે. આ પ્રકારે જીવનને કલુષિત કરવાવાળા સમસ્ત કષા તથા તેને ઉત્તેજિત કરવાવાળા સમસ્ત પાપનું એક કારણ માત્ર સ્વાર્થ છે. ફળાકાંક્ષાની ભૂમિ પર તે લેભ કહેવાય છે જે સર્વ પાપને બાપ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org