________________
,
જ કરતા
આવા
પણ તે
૧૫ર
કર્મ રહસ્ય માંગવી પડે. કાર્યને પ્રારંભ કરતા પહેલાં તથા કાર્ય કરવાના કાળમાં આવા વિકલ્પ રહે છે. કાર્ય પૂરું થયા પછી પણ તે વિકલ્પ સમાપ્ત થતા નથી. કાર્ય સફળ થાય ત્યારે હર્ષ અને નિષ્ફળ થાય ત્યારે શેક બંને અવસ્થામાં આગામી જીવનવિષયક વિવિધ કલ્પનાઓ થાય છે જેને કેઈ અંત આવતું નથી. આ જ ચિત્તનું મહાન બંધન છે. તેથી મુક્તિ પ્રાપ્તિ કરવા માટે ફળની આકાંક્ષાને નિષેધ કરવામાં આવ્યું છે.
૨. સ્વાથ
- ફળની આકાંક્ષા સાથે હંમેશા સ્વામિત્વ, કર્તૃત્વ તથા ભકતૃત્વ આ ત્રણ વસ્તુ સંલગ્ન છે. સ્વામિત્વ વિના કઈ વસ્તુને ભેગ સંભવ નથી. અન્યની વસ્તુઓ જાણી શકાય છે, પણ તેના વિષયને “હું ભેગવું' એવી ઈચ્છા થતી નથી. તે વિષય પર સ્વામિત્વ પ્રાપ્ત કરવાને માટે કર્તુત્વ આવશ્યક છે. પુરુષાર્થ વગર કોઈ બાહ્ય વિષય સ્વતઃ પ્રાપ્ત થતું નથી. તેથી ફળની આંકાક્ષા સાથે આ ત્રણે વાતે સંલગ્ન છે. અહંકારના રાજ્યમાં તે ત્રણે ભાવે સ્વાર્થ મૂલક મનાય છે. પરહિતાર્થ હોય તે તે નિષ્કામ કર્મ સ્વાર્થમૂલક નથી પણ તેનાથી વિપરીત છે.
બાળક માતાપિતા કે ગુરુની આજ્ઞા શિરોધાર્ય કરીને કેવળ પોતાના કર્તવ્યનું પાલન કરે છે. તે કાર્યની લાભહાનિની સાથે કે તેના દ્વારા પ્રાપ્ત થતા કઈ પદાર્થ સાથે સ્વામિત્વને ભાવ નથી. જે કંઈ લાભહાનિ કે સ્વામિ ત્વની પ્રાપ્તિ અપ્રાપ્તિ થાય છે તે સર્વ માતાપિતા તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org