________________
૧૫૦
કર્મ રહસ્ય પરાધીનતાના છેદને ઉલેખ આત્યંતર દુઃખેદને માટે છે, અને દુઃખેચ્છેદને ઉલ્લેખ નિરાકુળતા માટે છે, સુખની પ્રાપ્તિ માટે છે. જેમ અંધકારને વિનાશ તથા પ્રકાશની પ્રાપ્તિ બંને યુગપત્ છે, તે પ્રકારે આત્યંતર દુઃખને ઉચ્છેદ અને નિરાકુળ સુખની પ્રાપ્તિ વાસ્તવમાં એક જ છે.
ગુરુજનેને આ આશય સ્પષ્ટ થઈ જવાથી આપણને એ કહેવામાં કોઈ મુશ્કેલી નથી કે બંને કર્મોમાં સમાન રૂપથી કામના વિદ્યમાન હોવા છતાં તેમાં કંઈ વિશેષતા અવશ્ય છે. તે વિશેષતા એ છે કે સકામ કર્મની કામના, ફળ ભેગવવાની આકાંક્ષાયુક્ત છે તેથી તે બંધનકારી છે. અને નિષ્કામ કર્મની કામના ફળભેગથી નિરપેક્ષ હોવાથી, કેવળ અન્યના સુખ અર્થે હોવાથી, હિતાર્થે હોવાથી, બંધનકારી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org