SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ કામના ૧૪ અવશ્ય હોય છે કે તે શીઘ્રતાથી અભ્યાસમાં ઉત્તીર્ણ થાય. કઈ અપરિચિત રોગીની સેવા કરવામાં એવી ઈચ્છા અવશ્ય થાય છે કે તે શીધ્ર સ્વાચ્ય પ્રાપ્ત કરે. આ પ્રકારે જ્યારે કઈ પણ કર્મ ઇચ્છા કે કામના વિના સંભવ નથી તે પછી કઈ કમ સકામ કે કઈ કર્મ નિષ્કામ કેવી રીતે હોઈ શકે? - આ પ્રશ્ન ઘણે માર્મિક છે. તે સકામ તથા નિષ્કામની સૂક્ષ્મ રેખાની સ્પષ્ટતા કરું છું. વાસના આદિના ક્રમમાં એ દર્શાવ્યું છે કે કઈ પણ કાર્યના પ્રવેશ કરતાં પહેલાં અત્યંતરના સૂક્ષમ જગતમાં ઘણું કંઈ બની જાય છે. ચિત્તકેષમાં પડેલા સંસ્કારની જ્યારે જ્યારે અભિવ્યક્તિ થાય છે ત્યારે ઉત્તરોત્તર સ્કૂલ થતાં કાર્યના રૂપમાં તે પરિણુત થયા કરે છે. તેથી કાયને ત્યાગ કરવાથી કમને ત્યાગ થતું નથી. કારણ ત્યાગ કરે જરૂરી છે. ડાળી કાપી નાખવાથી વૃક્ષ નષ્ટ થતું નથી પણ મૂળ કાપવાથી વૃક્ષ નષ્ટ થાય છે. જેમ એક ડાળી કાપવાથી બીજી ડાળી ઉત્પન્ન થાય છે તેવી રીતે એક કાર્યને ત્યાગ કર્યા પછી બીજુ કાર્ય તરત ઉત્પન્ન થાય છે. તેથી જ્ઞાનીજને કાર્યને પકડતા નથી પણ કારણને પકડે છે. કૂતરે બંદૂકમાંથી નીકળતી ગેળીને પકડે છે ત્યારે સિંહ બંદૂકથી ગેળી મારવાવાળાને પકડે છે. તે પ્રમાણે કર્મત્યાગને ઉપદેશ વાસ્તવમાં કર્મત્યાગ માટે નથી પણ કામનાના ત્યાગ માટે છે. વાસનાત્યાગને ઉપદેશ સંસ્કારેચ્છેદને માટે છે. સંસ્કારોના ઉચ્છેદને ઉપદેશ બંધચ્છદ માટે કે પરાધીનતાના ઉછેર માટે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005295
Book TitleKarm Rahasya
Original Sutra AuthorN/A
AuthorJinendra Varni, Sunandaben Vohra
PublisherSatshrut Seva Sadhna Kendra
Publication Year1987
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy