________________
૧૪૮
કર્મ રહસ્ય પૂર્ણ થતાં પહેલાં નષ્ટ થઈ જાય છે. જેમ કે ગર્ભમાં જ બાળકને નાશ થાય છે. કેઈ આપણું ઈચ્છાથી વિરુદ્ધ કાર્ય બને છે. જેમ કે રોગશમન માટે લીધેલી ઔષધિની વિપરીત અસર થવાથી તે ઔષધિ જ રોગીના નાશનું કારણ બને છે.
આ કથન પરથી કર્મફળના વિષયમાં ચાર સિદ્ધાંતનો નિર્ણય થાય છે: (૧) કર્મનું ફળ અવશ્ય હોય છે. (૨) તે સર્વથા આપણી ઈચ્છાને આધીન છે તેવું નથી. તે અલ્પાધિક થઈ શકે છે અને વિપરીત પણ હોઈ શકે છે. (૩) કર્મ કરવાની જેમ ફળની આકાંક્ષા તે આપણે અધિકાર નથી. (૪) કર્મ વર્તમાનમાં થાય છે અને ફળ ભવિષ્યમાં મળે છે. કોઈ વાર દૂર દૂર સમયમાં મળે છે. જેમ આજે આંબાની. ગેટલી વાવીએ અને ફળ છસાત વર્ષ પછી મળે. આજે કેઈના પર ઉપકાર કર્યો હોય અને પચાસ વર્ષ પછી તેને પ્રત્યુપકાર મળે. ૩. કામનાનો ત્યાગ તે કર્મત્યાગ છે
કામના કેવળ ફળ ભેગવવાની હોય છે તેટલું જ નથી પણ કામના જાણવા અને કરવાની પણ હોય છે. ઈચ્છારહિત કઈ પણ કામમાં પ્રવૃત્ત થવું સંભવ નથી. તે કામ જાણવાનું, કરવાનું કે ભેગવવાનું કઈ પણ હોઈ શકે છે. લૌકિક કાર્યની વાત તે ઠીક છે. પણ મેક્ષમાર્ગની પ્રવૃત્તિ પણ મુમુક્ષતા વગર સંભવ નથી. જોકસંગ્રહ – કલ્યાણને અર્થે કે પરોપકારને અથે કરેલા કામમાં ઈછા અવશ્ય હોય છે. પિતાના શિષ્યને અભ્યાસ કરાવવામાં પ્રવૃત્ત ગુરુના હૃદયમાં પણ આ ઈચ્છા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org