________________
કામના
૧૪૭ કહેવાય છે. વાસનાની સૂક્ષ્મ ભૂમિથી ઈચ્છાની ભૂલ ભૂમિ સુધી આવવાના ક્રમમાં કામના મધ્યવતી છે. તેથી અહીં તે શબ્દપ્રયોગ કરવામાં આવ્યા છે. વ્યવહારભૂમિ પર કોઈ એક શબ્દ દ્વારા સર્વ અર્થ ગ્રહણ થાય છે. તેથી વિવિધ શબ્દપ્રયોગમાં કઈ વિરોધ આવતું નથી, તેને અર્થ સમજવો જોઈએ. ૨, કમફળ
ફળ ભેગવવાની આકાંક્ષા સહિત કમ સકામ કહેવાય છે. ફળભેગની આકાંક્ષા શું છે તે વિષયની અહીં સ્પષ્ટતા કરવામાં આવશે. સકામ કે નિષ્કામ બંને કર્મનું ફળ અવશ્ય હોય છે. કર્મ કરવામાં આવે તેનું ફળ નહિ મળે તેવું સંભવ નથી. ફળને સ્પષ્ટ અર્થ સુખ કે દુઃખની પ્રાપ્તિ છે. છતાં પણ દુઃખ પાછળથી સુખના હેતુરૂપ હોવાથી વિષયપ્રાપ્તિ તેની પરંપરાનું ફળ કહેવાય છે. જો કે ફળપ્રાપ્તિ કતૃત્વને આધીન નથી પણ લેતૃત્વને આધીન છે. બીજ વાવ્યા પછી તેમાં નિરંતર સિંચન કરવાનું કામ આપણે કરી શકીએ છીએ. પરંતુ કેરીનું ફળ આપણે ઉત્પન્ન કરતા નથી, તે આપણું કાર્યના ફળસ્વરૂપે યથાસમયે સ્વયં ઉત્પન્ન થાય છે. આપણે પાઠનું પુનઃ પુનઃ ઉચ્ચારણ કરવાનું કાર્ય કરીએ છીએ. પરંતુ યાદ કરવું તે આપણું કાર્ય નથી. ઉચ્ચારણના ફળસ્વરૂપે યાદ રહે છે. જેની યોગ્યતા વધુ તેને શીઘ યાદ રહે છે, અને જેની અ૯પ ગ્યતા હોય છે તેને અલ્પ સ્મૃતિ રહે છે. કમનું યથેષ્ટ (પૂર્ણ) ફળ લેવું તે આવશ્યક નથી. ક્યારેક તે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org