________________
ભાવકર્મ
૧૪૧ તેથી તે શ્રેષમાં ગર્ભિત છે. અને બીજી બાજુ અન્ય પદાર્થોને પ્રાપ્ત કરવાના ઉદ્દેશમાં પ્રવૃત્ત થવું તે માયા તથા લેભ આકર્ષક શક્તિથી યુક્ત છે, તેથી રાગમાં ગર્ભિત છે. તે, હાસ્ય, રતિ પ્રમાણે તથા ત્રણે વેદ ભાવ આકર્ષક શક્તિયુક્ત હોવાને કારણે રાગ છે, અને અરતિ, શેક, ભય, દુગછા આદિ વિકર્ષક શક્તિયુક્ત હેવાને કારણે શ્રેષ છે. ૩. બંધના હેતુ
જે પ્રકારે દર્શનશાસ્ત્રમાં ‘સિનગ્ધરુક્ષત્પાદુ બંધ' પ્રસિદ્ધ છે, એ પ્રકારે આચારશાસ્ત્રમાં “રાગદ્વેષાદ્દ બંધ પ્રસિદ્ધ છે. અહીં રાગ આકર્ષણ શક્તિથી યુક્ત હોવાને કારણે સ્નિગ્ધના સ્થાન પર છે, અને દ્વેષ વિકર્ષણ શક્તિથી યુક્ત હોવાને કારણે રુક્ષના સ્થાન પર છે. જે પ્રકારે પરમાણુઓના ભેગા થવા માત્રથી તે બંધનને યેગ્ય નથી, તેમાં રહેલા સ્નિગ્ધત્વ તથા રુક્ષત્વના યુગથી જ તે બંધનને પ્રાપ્ત કરે છે, તે પ્રકારે કર્મોમાં પ્રવૃત્ત હેવા માત્રથી ચિત્ત બંધને પ્રાપ્ત કરતું નથી. તે પ્રવૃત્તિઓની પૃષ્ઠભૂમિમાં સ્થિત રાગ તથા દ્વેષથી ચિત્ત બંધનને પ્રાપ્ત થાય છે. તેનું તાત્પર્ય એ છે કે રાગદ્વેષવિહીન કેવળ પ્રવૃત્તિ માત્રથી જે સંસ્કાર કામણ. શરીર પર અંકિત થાય છે તે પછીની ક્ષણમાં નષ્ટ થઈ જાય છે. રાગદ્વેષ યુક્ત પ્રવૃત્તિવાળા સંસ્કાર ઘણે લાંબા સમય સુધી સ્થિત રહીને ચિત્તને પ્રવૃત્તિ કરવાને માટે પ્રેરે છે.
“બ જ વઘુ વંધો, વંધો લક્ષણો - અર્થાત્ વસ્તુઓના સંગ વિગથી બંધ થતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org