________________
૧૪૦
કમરહસ્ય અને બીજો ભાગ અનિષ્ટાદિ પ્રતિકૂળ કે અનાકર્ષક છે તે પ્રમાણે રાગવાળે ભાગ આકર્ષક છે, કેષવાળે ભાગ અનાકર્ષક છે. અનુકૂળ પક્ષે પ્રતિ આકર્ષક હોવું કે તેને જાણવા, પ્રાપ્ત કરવા કે ભેગવવા માટે પ્રવૃત્ત હોવું તે રાગ છે. તે પ્રકારે પ્રતિકુળ પક્ષમાં વિકર્ષિત થવું, તેને દૂર કરવા કે તેને ત્યાગ કરવા પ્રવૃત્ત હોવું તે શ્રેષ કહેવાય છે.
પરસ્પર વિરુદ્ધ હોવાને કારણે તે સમતાથી વિરુદ્ધ છે. જે પ્રકારે સમતા વિશુદ્ધ હૃદયને ભાવ છે, તે પ્રકારે વિષમતા તેનાથી વિરુદ્ધ હોવાને કારણે મલિન હૃદયને ભાવ છે. તાત્વિક દૃષ્ટિએ જોતાં જે પ્રકારે ક્ષમા-માર્દવ આદિ દશ ધર્મ સમતાની વિવિધ સ્કુરણુએ છે, તે પ્રકારે તેનાથી વિરુદ્ધ ક્રોધ, માન આદિ વિષમતાની વિવિધ કુરણએ છે. સમગ્રને આત્મસાત્ કરવાને કારણે સમતા એ પ્રેમ છે. અને દેહાધ્યસ્ત સંકીર્ણ અહંકાર પ્રતિ તન્મય હોવાને કારણે વિષમતા સ્વાર્થ છે. આ વાત હૃદયવાળા અધિકારમાં જણાવી છે.
રાગદ્વેષને ઘણો મોટો વિસ્તાર છે. નિસંદેહ વ્યવહાર ભૂમિ પર તેને પ્રયોગ ઍન્દ્રિય વિના ગ્રહણ ત્યાગના અર્થમાં થાય છે, પરંતુ તાત્વિક દષ્ટિએ જોતાં વ્યવહાર ચારિત્રના ક્ષેત્રમાં જે “શુભ પ્રવૃત્તિ તથા અશુભે નિવૃત્તિ કહેવાય છે તે પણ વાસ્તવમાં રાગદ્વેષ છે તે સિવાય અન્ય કંઈ છે નહિ. બે બે અક્ષરના આ બે શબ્દોના ગર્ભમાં કૅધ, માન, માયા, લેભ આદિ અનંત ભેદોથી યુક્ત સર્વ કાષાયિક જગત સ્થિત છે. અન્યને પિતાથી દૂર કરવાના ઉદ્દેશથી પ્રવૃત્ત હોવાને કારણે ક્રોધ તથા માન વિકર્ષક શક્તિયુક્ત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org